SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ કેમ છૂટે? ૪૩૧ હવે એવું સુખ માગ્યા છતાં તમે એનાં કારણે મેળવ્યાં ? જે કારણે નથી મેળવ્યાં, તો કઈ પણ રીતે ટકવાવાળું સુખ નથી. પહેલાં તો આ પણે ગબડવાવાળા છીએ, આપણું ઠેકાણું નથી, જ્યાં જન્મ્યા, ત્યાં માતાપિતાએ પાલન કરવા માંડયું. તે ખાવા માટે બાળકને નીચે મૂકે તે તે રાડ પાડે છે, એ જોઈએ તે લાગે કે આ જિંદગીમાં માતાથી તે છૂટ નહિ થાય.” “માને કેઈ દહાડે ન છોડું' એમ થાય. ગિઠિયાઓ મળ્યા, ત્યારે મા તે કેણ? મા ખોળવા જાય ત્યારે છોકરાને ખેળીને લઈ આવે. હવે ગેઠિયામાં હળે, એટલે મા કે ને બાપ કેણુ? કઈ નહિ. તત્વમાં ગઠિયા, પછી નિશાળે ગયો, અભ્યાસમાં જોડાયે, પછી ભણતર અને માસ્તર. પછી ભણી રહ્યો, બે પૈસા કમાવાની સ્થિતિમાં આવ્યો. પછી કુટુંબકબીલામાં ભળે, પછી વૃદ્ધાવસ્થા આવી, ખાધેલું પચે નહીં. એટલે છેડી કુટુંબની ચિંતા. પછી તે પોતાની વ્યાધિ, જિંદગીમાં સ્થિરપણું કઈ ઠેકાણે નથી, ગોળા તરીકે ગબડતે આ જીવ રહ્યો છે. એ ગબડતાં સુખ મેળવવા માટે મથે છે. સેનાને કળશ બનાવવો હોય ત્યાં કચરે મેળવ્યું થાય શું? પૂરેપૂરું સુખ, કેઈ દિવસ ખસે નહીં તેવું સુખ જોઈએ છે. તે માટે કંચન, કાયા, કુટુંબ, કામિની ચાર મેળવે છે. જગતને વ્યવહાર આ ચાર ઉપર છે. આ ચાર સિવાય પાંચમે થાંભલે નથી. એ બધાં ભૂખરી માટીનાં થાંભલા જેવાં છે; શરદીની હવા લાગે તે માટીના થાંભલા ખસી પડે. આ ચાર થાંભલા જેની ઉપર જગત નાચી રહ્યું છે તે ભૂખરી માટીના થાંભલા જેવાં છે. કોડ રૂપિયા મેળવ્યા, રાજ મેળવ્યું પણ જગત છોડી જીવ ચાલવા માંડશે, ત્યારે કોડમાંથી કેડી પણ જોડે આવવાની નથી. છોકરાં છોકરાં કરે છે, પણ આજના કાયદાને વિચારો તે તેઓ કહે છે કે અમારે હકક છે, ત્યાં તમારી મરજી ન ચાલે. પહેલાંના સમયમાં તમે કટિબધ્વજ છે, અને એક કેડી ન આપે તે ત્યારે ચાલતું પણ આજે આવા હક્ક તરીકે લેવાવાળા છે તેને માટે જિંદગી એવી? તારે પુત્ર બાહેશ અને ભાગ્યશાળી
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy