SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મકલ્યાણુક ૪ર૭* પછી તે ગમે ત્યારે કરે એને માટે જણાવ્યું કે એગ્ય પાત્રના વખતે દાન ન દે અને અગ્ય પાત્ર આવ્યું ત્યારે દાન દે, તેમાં આપણે ફરક માનીએ કે નહિ, તેમ જગતમાં સ્વાતિ નક્ષત્રનું છીપલીમાં પડેલું પાણી મેતી કરે છે. બાકીના વખતમાં કાંઈ નહિ. પાણી વરસાદનું નથી એમ નહિ, પણ વરસાદનું છે. પોતે સંસારસમુદ્રથી તરનારા, આખા જગતને ઉદ્ધાર કરવા માટે ભવાંતરથી તૈયાર થએલા. તેમને ઉપકાર માનનારા જે ન થઈએ તે, તે પછી આપણું કલ્યાણ થાય કઈ રીતે ? હરિભદ્રસૂરિજીએ પક્ષથી નહિ પણ ભગવાનના ગુણેની અપેક્ષાએ આ વસ્તુ કહી. જે પોતાની શક્તિ હોય તે ભક્તિ તે દહાડે કરવી જોઈએ, ન કરે તો તે ફળને પામી શકતું નથી. ભગવાન જિનેશ્વર પિતે જિન બને છે અને આપણને બનાવે છે. પિતાની જન્મગાંઠ, ગમે તેની જન્મગાંઠ તેને આનંદ માનનારા, અને ભગવાનના જન્મદિવસે આનંદ ન ઉજવનારા તે કેવા ગણાય ? ભગવાનના જન્મદિવસને આટલી બધી મહત્વતા આપવાનું કારણ શું? જગતમાં બધા જન્મ પામે છે, એમના માતાપિતાને જન્મદિવસ નહિ. પણ ભગવાનને જન્મદિવસ પ્રેમીએ ઉજવે છે. અમેરિકાને ઉદ્ધાર કરનાર વૈશિંગ્ટનને થયે કેટલાંય વર્ષો થઈ ગયાં, પરંતુ એક દેશના ઉદ્ધારકને અંગે તેને દેશના પ્રેમીઓ તન, મન, ધનથી ઇરછે છે, માન આપે છે તે પછી આપણે જેને આપણું જેનપણું શાથી? અન્ય મતે, શિવમતવાળા શિવથી, વિષ્ણુમતવાળા વિષ્ણુથી ચાલ્યા. જૈન શાસનમાં જિન નામના કેઈ તીર્થકર છે ? તે તે નામના કેઈ તીર્થકર નથી. જિન એ કઈ વ્યક્તિનું નામ નથી. ઋષભદેવ, મહાવીર સ્વામી તે વ્યક્તિનું નામ છે અને જિન તે ક્રિયાવાચક નામ છે. રાગદ્વેષ અને મેહને જીતનારા તે જિન. જિનને માનનારા તે જૈન. તે પછી તેને માનનાર કોઈ પણ હોય તે અમારે વાંધો નથી. રિખવદેવને માનીએ કે મહાવીર ભગવાનને માનીએ તે જિનપણાને
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy