SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાત્મા ૪૧૯ જીવ માત્રના દુઃખને સર્વથા નાશ થઈ ગયો હોત. શાસ્ત્રમાં યોગ્ય કારણે માનવાની આવશ્યક્તા સ્વીકારી છે તે આથી જ છે. સેંકડે કે હજાર વર્ષ સુધી કોઈ પાણી લેવ્યા જ કરે તે ઘી નીકળે ખરૂં? નહિ જ. વર્ષોનાં વર્ષો ભલેને ધૂળને, નદીની રેતને ઘાણીમાં પીલવામાં આવે. આ પીલે તે કણ બારીક થાય પણ કાંઈ તેમાંથી તેલ નીકળે ખરૂં? નહીં. તેમ સુખની ઈરછામાં મહેનત તથા સંયમની સફળતાને આધાર યોગ્ય કારણે પર અવલંબે છે. મહેનત મહેનત માત્રથી સફળ થતી નથી. વખત, વખતના વીતવા માત્રથી સફળ થતું નથી. એમ નથી કહેવાનું કે ઉદ્યમ કે કાળ નકામાં છે પણ ચગ્ય કારણે મળે તે જ ઉદ્યમ અને સમય કાર્યસાધક બને. ઉદ્યમની જરૂર ખરી? દૂધમાંથી એમને એમ કદી માખણ નીકળવાનું નથી, તલમાંથી પણ પીલવાના ઉદ્યમ વિના તેલ પોતાની મેળે, જાતે ઊભરાવાનું નથી. ઉદ્યમ કરવો જ જોઈએ અને ઉદ્યમ ફળવાને સમય પણ જોઈએ જ. નિષ્ણાત વૈદ્ય આપેલી અકસીર દવા પણ ગળા નીચે ઊતરતાં જ અસર કરતી નથી. શરીરમાં લેહી વગેરેમાં ઔષધ પરિણમ્યા પછી જ તેની અસર થાય છે. કાર્યની સિદ્ધિ માટે સાચી મહેનત જોઈએ. કારણમાં થયેલી મહેનત સફળતા પામે છે અને સમય પણ ત્યાં જ સફળતાસાધક થાય છે. આ જીવ અનાદિકાળથી સુખ મેળવવા તથા દુઃખ દૂર કરવા ઇચ્છે છે. તે માટે તેણે મહેનત નથી કરી તેમ નથી. (વિના પ્રયને ગમે તેટલો સમય ચાલ્યા જાય તો પણ શું વળે ? એક પગલું ન માંડે તો સો વર્ષ પણ એક ગાઉ જવાય ખરૂં ? ન જ જવાય. ત્યાંના ત્યાં જ) આ જીવ મન, વચન તથા કાયાની મહેનત વિના ક્ષણ પણ રહ્યો નથી, અને રહેતું નથી. ક્ષણને સમય તે અધિક છે પણ શાસ્ત્રકારની ભાષામાં કહ્યું કે એક સમય પણ એ નથી કે જ્યારે જીવ, કાયા, વચન તથા મન દ્વારા મહેનત ન કરતે હોય. સગી કેવળી એ જ ભેદ છે ને ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy