SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - આનંદ પ્રવચન દર્શન તત્ત્વાર્થકારે તે શ્રી જિનેશ્વર મહારાજને વચમાં નહિ લેતાં તરજ્ઞાઈકાન વગેરે કહી દીધું. તત્વ એટલે પદાર્થનું સ્વરૂપ. બીજાઓની શાસનશૈલી ફક્ત પદાર્થ તરીકેની છે. બૌદ્ધોએ આર્યસત્ય માન્યાં. નેયાયિક અને વૈશેષિકેએ પદાર્થોને પદાર્થ તરીકે માન્યા. પણ પદાર્થોમાં તત્વ તરીકે માન્યતા છે -જૈનેની છે. નવા અથા દુર ના ઘા ન કહ્યું પણ ના (અ) સત્તા હાંતિ કહ્યું. જીવાદિક પદાર્થો જ તો છે. “તત્વ' શબ્દ જેનશાસનને રૂઢ શબ્દ છે, તેથી જીવાદિક પદાર્થોની તત્વ તરીકે શ્રદ્ધા થઈ અને તેથી જ જીવાદિ અર્થોમાં તત્ત્વ તરીકેની બુદ્ધિ તે સમ્યક્ત્વ-એમ પ્રશમરતિમાં જણાવ્યું. આ કારણથી ત્યાં “જિનત” શબ્દ ન રાખ્યો તેમાં હરકત નથી, તત્ત્વ શબ્દની રૂઢિ જ એ શબ્દ જિનેકતપણું સિદ્ધ કરે છે. પ્રકૃતિ “આર્યસત્ય” એ શબ્દો જેમ અન્યમમાં રૂઢિથી વપરાય છે, તેમ આપણે જૈને માં “તત્વ” શબ્દ વાપરવાની રૂઢિ છે. જ્ઞાનાવરણીયાદિ કમને જે જાણે જ નહિ તે તોડવાને ઉદ્યમ ક્યાંથી કરવાનો ? પદાર્થ પછી સ્વરૂપમાં જુઓ. અન્યમતવાળાએ જીવને ચેતનવાળે માને છે, જૈનદર્શન પણ ચેતનામય કહે છે, તે એમાં ફરક છે ? અન્યોએ ઉત્પન્ન થયેલી ચેતનાનું સ્થાન આત્મા રાખ્યું એટલે અન્યમતની માન્યતામાં ચેતના સ્વભાવે ન રહી, એટલે તેને રોકવાવાળા કર્મ માનવાની પણ તેમને જરૂર રહી નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય કેઇએ જ્ઞાનને રોકવાવાળા એવા જ્ઞાનાવરણીય કમને માન્યું નથી, ઘટપટ વગેરેમાં ચેતના ન થાય. જ્યાં સ્વરૂપે ચેતનામય છે એમ માન્યતા જ ન રહી એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મ માનવામાં ન રહ્યાં અને એ કર્મ માનવામાં ન રહ્યાં છે તેને નાશ માટે ઉદ્યમ કરે કયાંથી? આમ યત્વની વ્યાપકતા ગણી. પદાર્થ ત્રણ પ્રકારના છે. ય, હિય અને ઉપાદેય, રેય એટલે જાણવા લાયક. કેટલાક પદાર્થ માત્ર જાણવા લાયક જ હોય છે, જે કે હેય અને ઉપાદેય પણ સેવ તે છે જ એટલે એ દષ્ટિએ પદાર્થમાત્ર ય છે જ, છતાં કેટલાક પદાર્થો
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy