SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ ૩૫. જિનશાસનમાં સ્પેશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. ભિક્ષાને જે ધર્મ ન માનીએ અને અધમ માનીએ તે ગુરૂને ગુરૂ કેમ મનાય ? કંઈ પણ બદલે આપ્યા વગર લેવું તે લેકેમાં હરામનું લીધું કહેવાય છે. “સાધુઓ વસ્ત્રપત્રાદિ લે છે તેને કયે બદલે આપે છે? એમ કઈ કહે તે ? જો આ માધુકરીવૃત્તિનો મહિમા હરામનું ગણાય તો ભિક્ષા માત્રથી નિર્વાહ કરનારા ઉત્તમ છે એમ મગજમાં આવે ખરૂં ? વૃક્ષે પરનાં પુષ્પમાંથી જેમ ભમરો થોડું ડું લઈને પિતાને નિભાવ કરે છે, તેમ સાધુએ ગેચરી લે છે, તેથી તે તેને “માધુકરીવૃત્તિ” કહેવામાં આવે છે. અન્ય મતમાં પણ પાર મુદત વગેરે ઋતિકારોએ પણ કહ્યું છે. ભમરાની માફક નિર્વાહની વૃત્તિ મુનિએ ગ્રહણ કરવી જોઈએ. સ્મૃતિ કહે છે કે ઉત્તમ કુળથી ન મળે તે હેચ્છકુળથી પણ લેવું. પણ માધુકરીવૃત્તિથી જ લેવું. એક ઘરથી તમામ રસેઈ લેવીનહીં. દેવોને ગુરૂ જે બૃહસ્પતિ તેના સરખાને ત્યાંથી પણ તમામ રાઈ મુનિએ લેવી કપે નહીં. કેટલાકે ભાવાર્થ સમજ્યા વગર અર્થનો અનર્થ પણ કરે છે. માત્ર શબ્દને વળગનાર મનુષ્ય વસ્તુથી– રહસ્યથી વેગળા જાય છે. “માધુકરીવૃત્તિથી સ્લેરછકુળથી પણ મુનિએ ગોચરી લેવી, પણ એક ઘેરથી તમામ રસેઈ લેવી નહીં.” આ ઉપરથી સ્મૃતિશાસ્ત્રમાં ઊંચનીચનો ભેદ નથી અને જૈનશાસ્ત્રમાં તે ઉચ્ચનીચને ભેદ હેય જ કયાંથી? એમ કહેનારાએ ભૂલે છે અને બીજાને અવળે મા લઈ જાય છે. આમ કહેનાર છે. મુનિ હોય તે તેને પૂછો કે “તું નીચકુળમાં ગોચરી જઈ આવ્યો ? અત્યાર સુધી તું ઢેડ-વાઘરીને ત્યાં ગોચરી ન ગયે ? તે એમને.. ટાળ્યા તે તે ગુને કને!” અજુગુપ્સનીય, અગહિત કુળોમાં. ગોચરી જવાનું વિધાન શાસ્ત્રકારનું છે. આચારાંગમાં મૂળમાં ગોચરી માટે કુળો જણાવ્યાં છે. જુગુપ્સનીય તથા ગહણીય કુળે વર્યા છે..
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy