SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શાસૂચ ૩૮૭ મારવાથી થતું પાપ, કેઈને પરેપકાર કરવાથી થતે ધર્મ તે કઈ ચક્ષુથી જોયું? શાસ્ત્રની ચક્ષુથીને ? એક જ ડું છે . એક સાચું છે . જો હું બેલનારને પાપી કહ્યો, સાચું બોલનારને ધમી કહ્યો તે શાથી? શાસ્ત્રની ચક્ષુથી. દયામાં ધર્મ તથા હિંસામાં પાપ, સાચામાં ધર્મ અને જૂઠામાં પાપ, શાહુકારીમાં ધર્મ અને ચેરીમાં પાપ, બ્રહ્મચર્યમાં ધર્મ અને રંડીબાજીમાં (વ્યભિચારમાં) પાપ, આ બધું માનવામાં આવે છે, તે શાથી? ચર્મચક્ષુથી એ નથી મનાતું પણ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એ જણાય અને તેવાળાના વચનથી મનાય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી દેખાવાનું છે. કેવળજ્ઞાન સર્વવ્યાપક છે. પણ એ લખાણ વગરનો સેદો છે. લખાણ વગરના સોદાની બીજાને શી માલૂમ પડે ? કેટે લખાણને સદો મંજૂર કરે છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી કાલેક બધું માલુમ પડે પણ શાસ્ત્રરૂપી લખાણ ન થાય ત્યાં સુધી જગતરૂપી કેટે મંજુર કરે નહિ. ચાર જ્ઞાન મૂંગા છે. તેમને પ્રકાશક કેણુ? હીરાનું તેજ ત છે, તે હોય ત્યાં ઝળકે છે. ત ન હોય તે કિંમતી હીરા અને પથરામાં ફરક નથી. આ બધું શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રકાશમાં ન આવે તે કેવળજ્ઞાન સુધીના જ્ઞાન પામેલામાં અને અજ્ઞાન જીવમાં ફરક પડતું નથી. જેઓને સજ્જનમાં ગણાવું હોય તેવાને શાસ્ત્રરૂપી આંખ ખૂલ્લી રાખી તે દ્વારા જેવું પડશે. શાસ્ત્ર વગર પુણ્ય-પાપ કેણ બતાવશે? જીવાજીવાદિ તો કેણ સમજાશે ? જેને શાસ્ત્ર જૂનું હેવાથી ખરાબ લાગે તેણે પોતાના મેના આકાર ફેરવવા પડશે. જેને પચીસ વર્ષનાં વચનમાં શરમ આવે છે તેઓ લાખે, કરડે વર્ષોનાં મેં આદિના આકાર કેમ એના એ જ માને છે ? શાસ્ત્ર ન માનનારથી પાપ, પુષ્ય, ધર્મ, અધમ કંઈ બેલી નહિ શકાય. જે લોકેને નાસ્તિક બનાવવા હોય તે જ શાસ્ત્રને ખસેડી નાંખવાં : અર્થાત શાસ્ત્રને ખસેડવાથી લેકે નાસ્તિક બને છે. ધૂળ ઉછળાવવી હોય તે પહેરેલું કાઢી નાખવું. પહેરેલું કાઢી નાંખે તે લોકે આપોઆપ ધૂળ ઉછાળશે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy