SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ અાનંદ પ્રવચન દર્શન ‘અર્થાત્ તારક એવા પિતાનાથી પ્રતિકૂળ હોય તેવાને પણ તારનાર તે વાસ્તવિક તારક છે. એથી જ ભવાંતરથી દેવી એવા ખેડૂતને પ્રતિબંધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીરભગવાને મેકલ્યા. શ્રી ગૌતમસ્વામીજીએ જઈને શું કર્યું? ખેડૂતને બોલાવીને પૂછયું તથા આ રીતે સમજાવ્યું– શ્રી ગૌતમસ્વામીજીઃ “મહાનુભાવ ! આ તું શું કરે છે?” ખેડૂત ખેતી !” શ્રી ગૌતમસ્વામીજીઃ “શા માટે ?” ખેડૂતઃ “મારા પેટ માટે તથા મારા કુટુંબ માટે ! ” શ્રી ગૌતમસ્વામીજીઃ ખેતીમાં હિંસા થાય છે, તે હિંસાનું તને કેવું ફળ મળશે? યાદ રાખ કે તે તારે એકલાએ ભેગવવું પડશે. ખાવામાં જગલ અને કૂટવામાં ભગલે.....! ખાય પેલા અને પાપ તારે બાંધવું? પરભવે પેલા ભેગવવા આવશે કે તારે ભેગવવું પડશે? શાક ખાવાનું તે ઘરવાળા બધાને છે, પણ સમારનારની આંગળી કપાય તે વેદના તેને એકલાને જ થાય છે. ચોરી કરવા જનાર કુટુંબાદિ માટે તે બધું કરે છે, પણ ચેરી કરતાં પકડાય તે સજા તેને પોતાને જ થાય છે પણ કુટુંબને થતી નથી, પૈસા માટે કોઈનું ખૂન કોઈ કરે તે માલમાં બધાયે ભાગીદાર થાય, પણ ફાંસી તે એકલા ખૂનીને જ થાય! આ બધું તો આ લેકમાં પ્રત્યક્ષ છે ને? તે પછી પરસેવે કેવું ભાગીદાર થવા આવશે? કુટુંબીઓ અહીં માલ ખાવાના ! માર ખાવાના નહીં ” “અહીં જ પાપનાં ફળ ભોગવતી વખતે કુટુંબીઓ જ્યારે અલગ થઈ જાય છે, ત્યારે બીજા ભવમાં શું તેઓ કુટુંબી થવા આવશે? અને પેટ ! પેટ એકલું પાપથી જ ભરાય છે એમ કોણે કહ્યું? વગર પાપે પણ પેટ ભરાય છે. રાંધ્યા વિના પણ માધુકરીવૃત્તિથી ભિક્ષા માગી લાવી પેટ ભરી શકાય છે. કાચા પાણીને અડવાનું નહિ, અગ્નિને અડવાનું નહિ. પરિગ્રહ પાપનું મૂળ છે તેથી તે રાખવાને નહીં. હિંસા કરવાની નહીં, અસત્ય બોલવાનું નહીં,
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy