SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ મૂર્તિપૂજાનું રહસ્ય માન્યતામાં જ ફરક છે અને જ્યાં તાવિક માન્યતામાં ફેર હોય ત્યાં સમતિ નહિ. જે રૂપે તત્વ હોય તે રૂપે જ તત્વને માને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે અને તવદર્શન શ્રદ્ધા વગર સંભવતું નથી. જે તીર્થકર ભગવાને થયા છે, તેમણે નવો ધર્મ બનાવ્યો છે અથવા તે ન ધર્મ પેદા કર્યો છે એમ નથી. તીર્થકર ભગવાનેએ તે વસ્તુ માત્ર કે જે જગતમાં એક યા બીજે રૂપે દષ્ટિમાન હતી યા તે અદશ્ય હતી તેને સ્વભાવ જ તેમણે તે બતાવ્યું છે. એ ઉપરથી એમ નથી સમજવાનું કે તીર્થકર ભગવાનની હસ્તી પહેલાં આ સંસારમાં કોઈને પુણ્ય યા પાપ લાગતું જ ન હતું. તીર્થકર ભગવાનના થવા પહેલાં પણ મંદ કષાયવાળાઓ પુણ્ય બાંધતા હતા. કષાયથી જે પાપ થતાં, તે સર્વકાળને વિષે થતાં જ રહ્યા હતાં, માત્ર તીર્થકર ભગવાને તે જે પાપપુણ્ય થતાં હતાં તે પાપપુણ્ય અને તે થવાનું કારણ એટલું જ માત્ર બતાવી આપ્યું હતું. પ્રકાશનું ઉદાહરણ તમારે બરાબર લાગુ પાડવાનું છે. મનુષ્ય આંખે ઉઘાડે છે, ત્યારે તે પ્રકાશને દેખે છે. પરંતુ તેને અર્થ એ નથી કે તે આંખ નથી ઉઘાડતે તે પહેલાં પ્રકાશ હેતું નથી. યા તે પહેલાં પ્રકાશ, પ્રકાશનું કામ જ કરતા નથી. પ્રકાશનું કાર્ય જેમ સંસારને વસ્તુઓ દેખાડવાનું છે, તે જ પ્રમાણે તીર્થંકરદેવેનું કામ આ સંસારમાં પાપપુણ્ય અને તે થવાનાં કારણેને દર્શાવવાનું જ છે. આ જ કારણથી ધર્મ, દેશ કે તીર્થને પ્રવર્તાવનાર તરીકે તીર્થકર ભગવાનને ગણ્યા છે, પરંતુ તેમને ઉત્પાદક તરીકે ગણ્યા નથી. ધર્મ એ જગતને સ્વભાવ છે. જૈન ધર્મ એ જેડી કાઢેલી નવલકથા નથી, પરંતુ જેમ દર્પણમાં પદાર્થ જે હોય તે જ દેખાય છે, તે જ પ્રમાણે જગતને જે સ્વભાવ છે તે જ સ્પષ્ટ રીતે જિનશાસનમાં પડેલે છે. ધર્મ એ જગતને સ્વભાવ જ હોવાથી એ સ્વભાવમાં તીર્થકર ભગવાનેથી પણ ફેરફાર થઈ શકતું નથી. આપણે દ્રવ્યાદિને આશ્રયીને ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ ત્યાં પણ ધર્મ બતાવાને માટે, પલટાવવાને માટે નહિ. ભગવાન મહાવીરે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy