SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ આનંદ પ્રવચન દર્શન એટલે મલીનતા. એને અર્થ એ થયે કે એમને આદર્શ શુદ્ધતા નિર્મળતાને નહિ, પરંતુ મલિનતાને જ ઠરે છે. અન્યો પોતાના ઈશ્વરને નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ અને તિ રૂપ તે માને છે, તે પછી - સવાલ એ થાય છે કે એની મૂર્તિ કઈ અને શી રીતે હોઈ શકે ? હવે બીજી તરફ કેઈ આપણને પણ એવો જ પ્રશ્ન પૂછી શકે છે કે આપણે પણ સિદ્ધ મહારાજાઓને તે નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને જ્ઞાનસ્વરૂપ માનીએ જ છીએ, તે પછી એવા નિરંજન, . નિરાકાર ભગવાનની પ્રતિમા આપણે શા માટે બનાવીએ છીએ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણે જે પ્રતિમાઓ બનાવીએ " છીએ તે પ્રતિમાઓ મુક્ત એવા સિદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થાની હતી નથીપરંતુ સિદ્ધ જે દેહમાં સિદ્ધ થાય છે તે દેહની–તે મનુષ્યપણાની જ પ્રતિમા આપણે બનાવીએ છીએ અને તેથી જ આપણી પ્રતિમાની - કલ્પના એ વાસ્તવિક છે. મતિ કઈ અવસ્થાની હોય? જૈનશાસન જે તીર્થકરોની મૂર્તિને માને છે તે મૂર્તિના સંબંધમાં પણ યાદ રાખવાની જરૂર છે કે એ મૂર્તિઓ તીર્થકરપણાની અથવા તે બીજી અવસ્થાની મૂર્તિઓ નથી, અરિહંત મહારાજાઓની પણ અરિહંતાવસ્થા, કેવળી અવસ્થા અથવા તે તીર્થંકરપણાની મૂતિ બનાવવામાં આવતી જ નથી, પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વખતે તીર્થકર ભગવાનની જે સ્થિતિ હોય તે જ સ્થિતિની મતિએ બનાવવામાં આવે છે, ભગવાન શ્રી તીર્થંકરદેવ જ્યારે કેવળીપણામાં હોય છે, ત્યારે ઊભા રહે છે, બેસે છે, દેવદામાં તેઓ - શરીર પણ લાંબું કરે છે, વળી તીર્થકર ભગવાને સિંહાસન પર બેસે છે ત્યારે પગ પાદપીઠ પર રાખે છે. વળી તેઓ શ્રી સમવસરણમાં બિરાજે છે, ત્યારે તે પર્યકાસને નથી બેસતા પણ ખુરસી ઉપર બેસીએ અને પગ નીચે મૂકીએ તે વખતે જેવું આસન હોય તેવું આસન શ્રીમાન તીર્થકર દેવેનું સમવસરણમાં હોય છે. તે વખતે તેઓ પાદપીઠ પર પગ થાપીને બેસે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવના શરીર
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy