SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ to - આનંદ પ્રવચન દર્શન એ છે કે કોઈના પણ હૃદયમાં શંકા થતાં જ ભગવાન ની વાણીથી તે શંકાનું તરતજ સમાધાન આપોઆપ વગર પૂછે થઈ જાય છે, શંકા. ટળી જાય છે. આ પ્રભાવ સામાન્ય કેવળીને નથી. શ્રી તીર્થંકર નામ કર્મને જ એ પ્રભાવ છે. - સગડી પાસે બેઠેલો માણસ ટાઢથી ઠુંઠવાય નહિ, સગડીથી દૂર ગયા પછી ભલે તે ટાઢથી ધ્રુજે, તેમ ગમે તેવા વાદીએ સમવસરણ બહાર જઈને ગમે તેમ લવે, પણ ત્યાંય તેમની એ શંકા તરતજ નિર્મૂળ થાય છે.. આથી દરેક ઉત્સપિણીમાં કે અવસર્પિણીમાં કેવળી અસંખ્યાતા. હોય પણ શ્રી તીર્થંકરદેવ તે વીસ (૨૪) જ હોય છે. દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનને પ્રભાવ તે જુઓ ! એમની પાસે આવનાર ગણધર કંઈ પણ ન જાણતા હોય પણ ભગવાનના વદનકમલથી ત્રિપદી. પામીને ચૌદપૂર્વનું જ્ઞાન તે જ વખતે મેળવે છે. આ પ્રભાવ શ્રી તીર્થંકરશ્રી અરિહંત ભગવાનના વચનને છે. બાકીના સામાન્ય કેવળીમાં આ પ્રભાવ હોતું નથી. ખૂબી તે જુઓ ! ગણધર મહારાજ શ્રી તીર્થ કરથી જ સમજે, એમના જ વચને તેમને બોધ થાય, અને એ જ ભગવાનના વાસક્ષેપના પ્રક્ષેપનના અદ્વિતીય પ્રભાવે ચૌદ પૂર્વ અને બાર અંગની ત્યાં જ રચના કરે ! આ પ્રભાવ છે શ્રી તીર્થકરનામકર્મન ! ! ! માટે જ કેવળી અસંખ્યાતા છતાં દરેક કાળમાં દેવ વીસને જ માન્યા છે. શ્રી તીર્થંકરદેવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ઈદ્રોનાં આસન ડેલે છે તે શાથી? ભગવાન તે માતાના ગર્ભમાં છે, આસનોને ચલાયમાન કેણ કરે છે? અહા ! એ છે ભગવાનનું પુણ્ય ! ભગવાનની માતા ઉજજવલ ચૌદ સ્વપ્ન જુએ છે. એ સ્વનો જોવાનું માતાએ પણ નહોતું ધાર્યું કે માતાને આવાં સ્વપ્ન દેખાડવાનું ભગવાને પણ નહોતું વિચાર્યું. તે પછી એ બન્યું કેમ? એ દેવાધિદેવના દેવત્વના પુણ્યને અચિંત્ય પ્રભાવ!!! સર્વ તીર્થકરની માતા, પુત્ર જ્યારે કુક્ષિમાં આવે ત્યારે ચૌદ સ્વપ્નાંઓ જુએ છે, એટલે જે જીવ કૂખમાં આવ્યા તે અરિહંત કહેવાય છે. તે વખતે ઈંદ્ર મહારાજા
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy