SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ · જય જિનેન્દ્ર ૩૪૫ આસ્તિક દનાના મેાટો ભાગ દેવ, ગુરુ અને ધર્મની આરાધનામાં તથા તવાની માન્યતામાં પેાતાના જીવનનું સાફલ્ય ગણે છે. અને ભવિષ્યની જિંદગીઓની સુદરતા યાવત્ મેાક્ષપદની પ્રાપ્તિ પણ તે આરાધના અને માન્યતાને આધારે જ થવાનું માને છે. પરન્તુ ત્રિકાલાબાધિત નિષ્કલક અવ્યુચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનના પ્રણેતા ભગવાન્ જિનેશ્વરા તથા તેમના ઉપદેશને જ અમલમાં મૂકતાં અને તેમણે જણાવેલા સાધ્યને જ સાધવામાં તથા સધાવવામાં તત્પર બનેલા નિન્થ ગુરુમહારાજાએ તથા હિંસાદિકે અઢારે પાપનાં સ્થાનોથી પાછા હઠવારૂપ અને પાંચ મુખ્ય આશ્રવેાની પ્રતિજ્ઞારૂપ ધર્મોને માનનારો વગ જ પેાતાને જૈન તરીકે એળખાવી શકે છે, એટલું જ નહિ પરન્તુ જગના પદાર્થોનું પૃથક્કરણ અન્યમતવાળાઓએ જ્યારે પ્રકૃતિપુરુષાક્રિકરૂપે, દ્રવ્યગુણાદિરૂપે, પ્રમાણપ્રમેયાદ્વિરૂપે, આય સત્યાદિરૂપે કરેલું છે, ત્યારે ફકત જેન તરીકે જાહેર થયેલા વર્ગ જ તે જગના પદાર્થોના પૃથક્કરણમાં પણ આત્માના કલ્યાણનું લક્ષ્ય રાખીને તથા મેાક્ષનું ધ્યેય આગળ કરીને સામાન્ય રીતે પટ્ટાના જીવ અને અજીવ તરીકે વિભાગ માન્યા છતાં, તે એ વિભાગને તત્ત્વ તરીકે ન ગણતાં, જીવ અજીવની સાથે ક બંધનનાં કારણેા, કર્માનુ બંધાવવું, આવતાં કર્મોનું રોકાવવુ, આવેલાં કર્મીના નાશ થવા અને યાવત્ સર્વ કાળને માટે જેએનુ કર્મબંધ આદિથી મુકત થવું—એવાં સાત તત્ત્વાને અને સાથે સાથે કર્મના શુભાશુભ વિભાગ તરીકે બેતાલીસ શુભકર્મો અને ખ્યાશી અશુભ કર્મોના વિભાગ પણ આત્માની શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિના ચિહ્ન તરીકે માનીને જેએ જીવાદિક નવે પદાર્થાને તત્ત્વ તરીકે માને, તેએ જ પેાતાને વાસ્તવિક રીતિએ જન તરીકે કહેવડાવી શકે. અને આ જ કારણથી ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી મહારાજ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્માંના સ્વીકારને કે શુદ્ધ તત્ત્વ સ્વીકારવાવાળા આત્માના શુભ પરિણામને સમ્યફૂત્વ તરીકે ગણાવવાનુ` મુલતવી રાખીને જગના પદાર્થોમાં જીવાદિક તરીકે વિભાગ અને તે જીવાદિક વિભાગાને તત્ત્વ તરીકે માનવું. તેને જ સમ્યક્દન તરીકે એટલે ઓછામાં માછા શ્રાવક તરીકે ગણાવે છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy