SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ - આનંદ પ્રવચન દર્શન કેઈથી કઈપણ રીતે આવો શકય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું વચન તમે જાણતા હૈ યા ન જાણતા હો તે પણ તમે સંસારની પાપપ્રવૃત્તિ છે તેમાં ધસી રહ્યા છે અને એ વ્યવહાર તમારે હાથે ઘડાયે જ જાય છે. એ વ્યવહારમાંથી તમને ચેતાવીને સાવચેત કરનારું છે કે ઈપણ શાસ્ત્ર હોય તે તે શ્રીમાન જિનેશ્વરદેવનું શાસન છે. મોટામાં મેટે ઉપકાર ભગવાન જિનેશ્વરદેવને જે આપણા પર કેઈ મોટામાં મોટે ઉપકાર હોય તે તે એ છે કે તેમણે આપણને સદગતિના અને દુર્ગતિના રસ્તા બતાવ્યા છે; સંસારગતિ કેવી રીતે ટાળી શકાય, મક્ષ કેવી રીતે મેળવી શકાય, કર્મ આવવાનાં કારણે કેવી રીતે રોકી શકાય, કર્મ કેવી રીતે બાંધી શકાય એ સઘળી વાતે શ્રીમાન જિનેશ્વર દેવેએ પોતાના જ્ઞાનથી જાણીને આપણી આગળ પ્રત્યક્ષ કરી છે. અને તે શ્રીમાન્ જિનેશ્વરદેવને આપણું ઉપરને ભવ્ય ઉપકાર છે. આપણે શ્રીમાનું જિનેન્દ્રદેવને પૂજીએ છીએ, તેમને આરાધીએ છીએ, તેમનું ગુણગૌરવ કરીએ છીએ, તે સઘળાનું કારણ આ એક જ છે. તમે દવામાં તેલ પૂરો અને દીવે સળગાવો છે એ દવે તમારો રે જમેળ લખી આપતું નથી, તે તમારા હીરા પારખી આપતું નથી, તમારા ઘરને કચરો સાફ કરી આપતું નથી, પરંતુ દીવાનું જે અજવાળું છે તે તમે એના તેજથી તમારાં સઘળાં કામ કરી શકે . કેઈ એમ કહેશે કે દવા વિના પણ માણસ પોતે પિતાના અનુભવ અને અનુમાનને આધારે કામ કરી શકે છે અને તેને પ્રકાશની જરૂર પડતી નથી, તે પછી પ્રકાશ આવશ્યક છે એમ, શા માટે માની લેવું જોઈએ? અંધકાર અને પ્રકાશ આ વાત સાચી નથી. તમે અનુભવ અને અનુમાનને આધારે કામ કરો છે એ વાત સાચી છે. પરંતુ તમેને અનુભવ અને અનુમાનની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય છે કે જ્યારે તમે પહેલાં એ. બાબતની ટ્રેનિંગ લે છે. વારંવાર તમે પ્રકાશમાં વાળ્યું હોય તે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy