SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ હું કેણ? ૩૩ તે કઈ પક્ષીની નિમાં છે, કોઈ વૃક્ષાદિની યોનિમાં છે ઈત્યાદિ જીવનમાં અનેક સ્થાને છે. અન્ય જીને સારી નિ નથી મળી, જ્યારે આપણને સારી યોનિ મળી છે. એ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે આપણે આ મનુષ્યભવ મેળવવાને લાયકનાં કર્મો બાંધ્યાં હતાં. તેથી આપણને મનુષ્યભવ મળ્યો છે, જ્યારે વૃક્ષાદિએ તેવા કર્મો ન બાંધવાથી તેઓ માનવભવને પ્રાપ્ત કરી શકયા નથી. મનુષ્યપણુરૂપી પેઢી આપણા આત્માએ ઊભી કરી છે. હવે દરેક વખતે દરેક સ્થાને પેઢી ઊભી કરવાને માટે કોઈપણ સિલક હોવી જ જોઈએ. એ જે નિયમ છે તે જ પ્રમાણે આ માનવભવરૂપી પેઢીને માટે આત્માને કઈ મૂડી રોકવી પડી છે ? આત્માની કઈ મૂડી ઉપર આ માનવભવની પેઢી ઊભી કરવામાં આવી છે તે જુઓ. મનુષ્યપણાની ગતિ, આયુષ્ય અને પંચેન્દ્રિયપણું એ જ્યારે ઊભાં થયાં ત્યારે આ પેઢીની સ્થાપના થઈ અને ત્યારથી આ પેઢીની જાહેરાતને આરંભ થયો. માનવભવનું કર્મ શી રીતે મળે? પહેલાં સ્થિતિ એ હતી કે આપણે મા-બાપને ઓળખતા ન હતા, માબાપ આપણને ઓળખતાં ન હતાં. જે જગ્યાએ આપણે જન્મ થયો છે ત્યાં એવું નથી બન્યું કે માબાપે આપણને પસંદ કરીને લીધા છે, અથવા તે આપણે મા-બાપને પસંદ કર્યા છે ! પરંતુ મનુષ્યપણાનું આયુષ્ય બાંધ્યું હતું તેને યેગે માતાની કુક્ષિમાં આપણે અવતર્યા છીએ. આ સઘળાનું કારણ બીજું કાંઈ જ નથી પરંતુ કર્મ જ છે. આપણું કર્મો એ રીતનાં હતાં, એટલે જ આપણે માતાની કુક્ષિમાં અવતર્યા હતા. આ સઘળો પ્રભાવ કર્મનો જ છે, પરંતુ આપણે એ કર્મને કેવી રીતે નાશ કરી શકીએ એ વાત ન વિચારીએ ત્યાં સુધી તેથી કાંઈ લાભ થવાને નથી. કર્મ શું છે એ પહેલાં જાણવાની જરૂર છે. કર્મ એવી ચીજ નથી કે જેને પકડી લઈએ અથવા તે ધક્કો મારીને કાઢી મૂકીએ, મનુષ્યપણાનું કર્મ કે જેને લીધે આપણે માનવભવ પામ્યા છીએ તે કર્મ પણ લાવેલું આવવા પામતું નથી, અથવા તેને ધક્કો મારી કાઢી મૂકવાનું વિચારીએ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy