SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ માતાપિતાની જવાબદારી ૩૧૧ પરિણામ દુર્ગતિ છે. હવે એ વિદ્યા દ્વારા મારા પુત્ર દુર્ગતિને પથે જાય તેા પછી મારે તેમાં આનંદ શા માટે માનવા જોઈએ ? આવા વિચારે આ રક્ષિતજીની માતા પુત્રને મળતી સ'પત્તિ, માન, વૈભવ એ સઘળાને લાત મારવા તૈયાર થાય છે, આ રક્ષિતજીને મળેલી વિદ્યાએને માતા નરકે લઈ જનાર માને છે અને તેથી એ સઘળાને ભાગે તે આ રક્ષિતજીને સુમાગે વાળે છે. આમ કરવામાં આરક્ષિતજીની માતાના એક માત્ર હેતુ એટલા જ છે કે ગમે તેમ કરીને પુત્રના આત્માને અને તેના ભવને સુધારવા છે. પુત્રના આત્માના કલ્યાણુ ખાતર—સાચા કલ્યાણ ખાતર માતા પુત્રને મળેલા સઘળા વૈભવ, માન, કીતિને લાત મારે છે અને તેને આત્મકલ્યાણને માગે વાળે છે. આનું નામ તે શ્રાવિકા તરીકેની ફરજ ઉપરની પ્રીતિ છે. શ્રાવક કુળની બલિહારી. મહાનુભાવા ! હવે વિચાર કરો કે આજના સંસારમાં એવી શ્રાવિકાઓ કેટલી છે કે જે આરક્ષિતજી જેવા ભણેલાગણેલા પુત્રને ધને માર્ગે વાળવાને તૈયાર બને! જવાબ એ જ આવશે કે એક પણ નહિ, કિવા અત્યંત ઘેાડી જ ! આય રક્ષિતજી માતાની સ્થિતિ એ જ શ્રાવક કુળની સાચી બલિહારી છે. શ્રાવક કુળ અને માતૃગત જાતિનું મહત્ત્વ એ અહીં જ રહેલું છે તે અન્યત્ર નથી જ. પુત્રને ચઢતી ગ્રેડ મળે છે તે એક પરીક્ષા વધારે પાસ કરે છે એટલે આપણે રાજી થઈ જઈએ છીએ, પરંતુ આપણને એ વાતના તેા ખ્યાલ જ નથી આવતા કે પાસ થએલા છેાકરાએ દુગતિનાં ખાતાં વધારે ખેાલવાની આજથી જાહેરાત કરી છે ! ઠીક ! પોતાના પુત્ર ચૌદ વિદ્યા ભણેલા છે, તે વેદાંતપારગામી થયેલે છે, પરંતુ માતાને તેથી સાષ થતા નથી, માતા સિવાય આખુ નગર સ્વાગત કરે છે. પુત્ર પછી માતા પાસે જાય છે. માતા પુત્રને કહે છે કે તું જે વિદ્યા ભણ્યા છે તે સઘળી મિથ્યાત્વાદિ અવગુણૈાથી ભરેલી છે. તારો અભ્યાસ હિંસક શાસ્ત્રોના છે એટલે તેનાથી મારે ૨૧
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy