SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન ünvironn રૂપ અને સૌંદર્ય જોયું તે ઓહો!” મધુરું ગાયન સાંભળતાં મરતક ડોલે છે ! આ બધા ગ્રાહકે ફેલી ખાનારા છે. છતાં આપણે તેને ભાઈ! ભાઈ!' કરી દુકાને બેસાડીએ છીએ અને દાન, શિયળ, તપ અને ભાવરૂપી આબરૂદાર ગ્રાહકોને કદી પેઢીએ બે લાવ્યા છે ખરા ? આ ગ્રાહકે આબરૂદાર હોવાથી બેદરકાર છે, મીઠું બેલનારા નથી, લીધેલા માલના પૂરા પૈસા આપનારા છે.એ સમજે છે કે એવી એકવીસ દુકાને છે. દેવ, ગુરૂ, ધર્મરૂપી ગ્રાહક આપણને ગમતા નથી, વિષય, કષારૂપી બદમાશ ગ્રાહકેથી આખી પેઢી વીંટળાઈ વળેલી છે. આબરૂદાર ગ્રાહક આવે તે બેસવાનું સ્થાન પણ ક્યાં છે? વેપલે તે કયે રાખ્યો પણ ચોપડા જોયા કે રકમ આવી કઈ અને રહી કઈ? આયુષ્ય ઓછું થતું જાય છે, પુષ્પ ખવાતું જાય છે. પણ કાંઈ મેળવ્યું ? અપૂર્ણાંકને ગુણાકાર તે ભાગાકારનો ભાઈ છે ! જેમ પેલે બાદશાહ જગતની દશા ભૂલી ગયું હતું તેમ આ જીવ મનુષ્યપણાની સમજણવાળે થયા પછી પૂર્વને વિચાર કરતે નથી કે પોતે કયા પુણ્યથી મનુષ્ય થયે છે? આ વિચાર ન કરનારો મનુષ્ય મનુષ્યપણાની દુર્લભતા કયાંથી વિચારે? જગતમાં રેતીની કિંમત છે, એ વધારે ન વપરાય એની પણ કાળજી, પણ જિંદગીની કાંઈ કિંમત નથી ? કલાકેથી, દિવસથી જિંદગી ઓછી થતી જ જાય છે એ વિચાર્યુ? સ્ત્રી ઘડો તથા દોરડું કૂવામાં નાંખે છે પણ દોરડાને છેડે પકડી રાખે છે તે ઘડો પાછો આવે છે, તેમ દિવસના ચોવીસ કલાકમાં કેટલું હાથમાં રાખ્યું? સામાયિક, દેવપૂજા, પ્રતિક્રમણ ન થયું હોય તેને પશ્ચાત્તાપ છે ? નથીને ? પણ દુકાને ન જવાય તેને પશ્ચાત્તાપ થાય છે! તે કહે કે આ જીવ પિતાનું રક્ષણ કઈ રીતે કરવાને ? રક્ષણ બતાવનાર કોણ? તમામ મતમાં, તમામ ક્ષેત્રોમાં તપાસી લે. મનુષ્ય જીવનને સફળ કરવાનું, બતાવનારે કઈ મળતો નથી. ફક્ત આર્યક્ષેત્રમાં માત્ર શ્રી તીર્થકર ભગવાન જ છે, તેથી જે મનુષ્યપણું સફળ કરવું હોય તે દેવતત્વ શુદ્ધ પકડે!
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy