SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આનંદ પ્રવચન દર્શન વાણિયાભાઈ ગયા તાજિયામાં આ વસ્તુ પૂરી રીતે સમજવા માટે એક રમૂ9 દષ્ટાંત લઈએ. કેઈ એક કસ્બાનું ગામ હતું. ગામમાં મીયાભાઈની વસતિ વધારે હતી અને ત્રણ-ચાર હિન્દુઓનાં ઘર હતાં. એક દિવસ તાજિયા નીકળ્યા. તાજિયાનું સરઘસ ચાલતું હતું. તેના ઉપાસકે પાછળ રોકકળ અને હાયપીટ કરતા ચાલતા હતા. એટલામાં એક વાણિયો તે રસ્તે આવી પહોંચ્યા. પેલા મુસલમાનોમાંથી એકે હાથ પકડીને વાણિયાને પણ સરઘસમાં ખેંચી લીધો! વાણિયે પણ સરઘસમાં ભરાઈને મુસલમાન સાથે રોકકળ કરવાનો ઢોંગ કરીને કૂટવા લાગે. મુસલમાને તે કૂટતા જાય અને મોઢેથી મોટા મોટા સૂરમાં “યા હસેન યા હુસેન !” એમ બોલતા જાય, ત્યારે આ વાણિયાભાઈ “આવી ભરાયા રે ભાઈ આવી ભરાયા !” એમ બેલીને કૂટતા જાય! મુસલમાની રોકકળમાં તેમના માન્યપુરુષ પરત્વેની લાગણી હતી ત્યારે પેલો વાણિયે માત્ર માથા ઉપરની વેઠ ઉતારી રહ્યો હતે ! શ્રાવક કુળમાં પૌદ્ધગલિક પ્રવૃત્તિનું પોષણ થાય છે. તે આવી ભાવનાથી થાય છે, જે ભાવનાથી પેલે વાણિયો પિતાના મુસલમાન મિત્રો સાથે કૂટતે હવે તે જ ભાવનાથી શ્રાવક કુળમાં શ્રદ્ગલિક પ્રવૃત્તિઓ પિોષાય છે, શ્રાવક કુળમાં તે પ્રવૃત્તિને ધ્યેય કે ઉદ્દેશ તરીકે રાખવામાં આવતી નથી. જે કઈ પોતે પિતાની શ્રાવક કુળ તરીકેની મહત્તા જાળવી રાખવા માગે છે, તેણે શ્રાવક કુળને આ મુખ્ય આચાર દઢપણે પાળવાને જ છે. આ આચારમાં કઈ પણ રીતે ભેદ કે અપવાદ રહે એ જૈનશાસન ચલાવી લેવા માગતું નથી. આ રીતિથી ઊલટી રીતે વર્તનારાઓ પોતાના બાળકોને ગળથુથીમાં જ પગલિક પિષણનાં તો પાનારાઓ ખરી રીતે જૈનશાસન સમજેલા નથી. શ્રાવકના આચાર પાળે તે શ્રાવક જે કઈ પિતાને શ્રાવક કહેવડાવે છે તેણે શ્રાવક કુળના કુલાચારને પાળે જ છૂટકો છે. જે શ્રાવક કહેવડાવનારે પોતે લૌકિક રિથતિને વિધેય તરીકે અથવા આદરવા યોગ્ય પ્રવૃત્તિ તરીકે બતાવે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy