SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ માતાપિતાની જવાબદારી ૩૦૫. હવે એ સાધુ પિતાની માલમિલકત અને સ્ત્રીપુત્રોને છેડીને પારકાની માલમિલકત અને સ્ત્રીપુત્રોની પંચાત કરવા નીકળી પડે, તે પછી. એણે સાધુતા લીધી શા માટે હશે તેનો વિચાર કરો. જે સાધુને પારકાનાં જ સ્ત્રી-છોકરાંની સંભાળ લેવી હતી તે પછી તે પિતાનાં. બરી-છોકરાંને શા માટે છોડી દેત વારૂ? હોય તેને ત્યાગ કર. એને અર્થ એ છે કે વમન કરવું કિંવા ઊલટી કરવી. સાધુ પૈસે-ટકે, સત્તાસમૃદ્ધિ, સ્ત્રીપુત્રો એ બધાં છેડી દીધાં. છે. તેને અર્થ એ છે કે તેની પાસે જે કાંઈ હતું તે બધાંનું તેણે વમન કરી નાંખ્યું છે. હવે જે સાધુ કંચન અને કામિનીને ત્યાગ કર્યા પછી તે વળી પાછો કંચન અને કામિનીના જ વિચારોને લઈ બેસે, તે તેનો અર્થ એ થાય છે કે તે એકલું–વમન કરેલું ત્યાગેલું ખાવાવાળો છે! પંચાતિયે એટલે પાપ સાધુદેશ તરફની ફરજ વધારે કિંમતી છે, પરંતુ દેશ તરફની ફરજ કરતાં પોતાના પ્રાંત પરત્વેની ફરજ વધારે મહત્વવાળી છે, તેના કરતાં ગામ પ્રત્યેની ફરજનું મહત્વ વધારે છે, તેના કરતાં ઘર પ્રત્યેની. ફરજ મોટી છે અને એ જ ન્યાયે આખા ઘર કરતાંએ પોતાના બેરીછોકરાં તરફની ફરજ વધારે મહત્ત્વની માની લીધેલી છે, હવે. જે સાધુએ પિતાની એ ઘર તરફની ફરજને ત્યાગ કર્યો છે તે સાધુ પાછો આખા દેશની પૌગલિક વિચારણાઓને જ ચિંતવવા માંડે. તે તેની સ્થિતિ વમેલાનું પ્રશન કરવા જેવી છે, અને જે એવી પગલિક વિચારણાઓમાં જ સાધુ થઈને પણ ચકચૂર છે તેને . મહાન શાસન ખૂલ્લેખૂલ્લી રીતે “ring) કહે છે. “ખરેખરી મમતા પોતાના ઘર અને પોતાના બાયડી છેકરા ઉપર હેય છે, માટે તેને ત્યાગ કરી પારકાના સંસારને સાધુઓએ વિચાર કરો એથી મમતાદેષ લાગતું નથી!” એ અર્થવાદ કદી જૈનશાસને કબૂલ રાખ્યો જ નથી વીજળીના તારને ભાવપૂર્વક અડકે, માધ્યસ્થ ભાવે અડકે કે દ્વેષપૂર્વક અડકે, પરંતુ તે છતાં તેને સ્પર્શ માત્ર પ્રાણહારક २०
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy