SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ વેરાગ્યને વિવેક રહેતો નથી તે આવા કૂતરાના જેવો જ છે ! જે આત્મા જગતના સુખમાં જ મચી રહેલ છે તેની કિંમત આ રીતે કૂતરાના કરતાં જરા પણ વધારે નથી. કૂતરો સાકરને લાડે કે બરફીની મીઠાશમાં મોહ પામે છે અને તે તેના મધ્યમાં રહેલા ઝેરને પણ ચાટી જાય છે, પછી જ્યારે એ ઝેરની અસર તેને થાય છે ત્યારે તેને ટાંટિયા ઘસવા પડે છે ! અને મેં ફાડીને પહોળા થઈને પડવાની તેને દશા પ્રાપ્ત થાય છે. મનુષ્યની દશા પણ બરાબર આ પ્રમાણે છે. પુણ્યના યેગે મેળવી અપાએલા શરીરથી આપણે સુખ ભેગવ્યા જઈએ છીએ અને કર્મો બાંધતા જઈએ છીએ, પરંતુ જ્યારે એ કર્મોને ભેગવવાને સમય આવે છે ત્યારે આપણે પેલા ડાઘિયા કૂતરાની માફક રંગ, શોક અને થાકથી ઢીલાઢબ બની જઈએ છીએ. છેલ્લી વાત આ સુખને વળગેલો જીવ જ્યાં સુધી સંસારમાં રહે છે ત્યાં સુધી તેની હલનચલન ક્રિયા ચાલુ ને ચાલુ જ રહે છે. જ્યાં સુધી જીવને પુદ્ગલેને સંબંધ છે, ત્યાં સુધી ક્રિયા છે અને જ્યાં સુધી અવિરત કર્મબંધન પણ રહેલું છે. એ કર્મબંધન શુભ કહો કે અશુભ હો, પરંતુ તે એક સેનાની બેડરૂપ ગુલામી જ છે અને તે સઘળાં શુભાશુભ કર્મબંધને ગુલામીમાં સડાવનારાં જ છે. આ સઘળું જ્ઞાન સમજવું, તેને સમજીને અમલમાં મૂકવું. અમલમાં મૂકવાની પોતાની અશક્તિ હોય તે બીજા જેઓ એ જ્ઞાનને અમલમાં મૂકવા તૈયાર થયેલા હોય તેમને અભિનંદન આપવું અને પોતે પણ છેવટે પ્રત્યક્ષ એ જ્ઞાન અમલમાં ન મૂકી શકાતું હોય તે કયારે શુભ સમય આવે છે ને આપણે એ પવિત્ર પંથે પગલાં માંડીએ છીએ એવી ભાવના તે નિરંતર સેવ્યા જ કરવી, એ પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. આ સઘળું જીવાત્મા ત્યારે જ સમજી શકે છે કે જ્યારે તે પિતાની સ્થિતિ, સ્વરૂપ અને સંગે સમજે છે. આ ત્રણ વસ્તુ – સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજે છે, તે જ બધી ઉપલી સઘળી ઘટના પણ સમજી શકે છે, અને આ સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજવાનું જ્ઞાન તે પેલી આગળ કહી છે તે ત્રિવિધ ગળથુથી આપે છે. આટલી વાત દરેકે સમજી લેવી ચગ્ય છે..
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy