SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦o : આનંદ પ્રવચન દર્શન માટે ઉદ્યમ ન કરે? તમારા જીવને ભવ્ય અભવ્ય જાણી શકનાર કેવળી કેવળી શી રીતે થયા? તે કહેશે કે જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચ બધામાં ઉદ્યમ કરવાથી. તે તે કેવળીઓએ ઉદ્યમ શા આધારે કર્યો? તમારું ભવ્યપણું તમે જાણી શકે છે. કેવળીને તેના જીવનું ભવ્ય અભવ્યપણું કોણે કહ્યું? માને કે તેને કોઈ બીજા કેવળીએ કેવળ જ્ઞાનપૂર્વે “તું ભવ્ય છે” એમ કહ્યું હોય. તે એ બીજા કેવળીને “તું ભવ્ય છે” એમ કોણે કહ્યું? અને આ વિચારશ્રેણી આગળ લંબાવી જુઓ : પરિણામ એ આવે છે કે તીર્થકરનું થવું, તીર્થની શરૂઆત એ સઘળું જ ઊડી જાય છે. કેવળીપણું-ધર્મ પ્રવૃત્તિ એ કેવળી વગર સંભવે નહિ. કેવળીની પાછળ કઈ કેવળી હાજર હોવું જ જોઈએ. આ વતુમાં વિરપેદવાળું કેવળીપણું ન ચાલે. કેવળીને કોઈ કાળે વિપેદ ન માનવ અને જે માન્યો તે ધર્મ ઊડી ગયો. કેવળજ્ઞાનીની સતતુ સત્તા માનવી પડે અને તે ન હોય તે ધર્મને છેડો છે. આત્માના ભવ્ય અભવ્યપણાના વિભાગ પાડયા, પણ છતાં આ ભવ્ય અને આ અભવ્ય એવો કેવળી સિવાય નિર્ણય મળે નહિ અને નિર્ણય મળે નહિ ત્યાં સુધી ધર્મ પ્રવૃત્તિ કરવી એ આંધળે બહેરું કુટાવા જેવું નકામું છે, એટલે ખલાસ! સઘળી ધર્મ પ્રવૃત્તિ અને મેક્ષમાર્ગ જ બંધ થઈ જાય! ત્યારે હવે મારે શ? અહીં જ સમજવાનું છે. જૈનદર્શન કહે છે કે જીવમાં રહેલું ભવ્યાભવ્યપણું કેવળી સિવાય નહિ જાણી શકાય એ વાત તદ્દન સાચી, પરંતુ પરજીનું ભવ્યાભવ્યપણું માત્ર કેવળી જ જાણી શકે છે, પોતપોતાના આત્મામાં ભવ્યપણું છે કે નહિ એ તે દરેક માણસ પોતે સમજી શકે છે. જે મેક્ષ ઈચ્છે છે તે ભય. જેને મોક્ષની ઈચ્છા છે તે સઘળા જેવો ભવ્ય છે પણ એ મોક્ષ તે કયો ? એકલે તમેએ માની લીધેલે ગમે તે મેક્ષ ઇરછો
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy