SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪. આનંદ પ્રવચન દર્શન પરમાર્થને પીછાણી શક્ય જ નથી એમ કહેવામાં લેશભર અતિશચોક્તિ નથી. વિતરાગ વચનને વર્ષાવનાર વક્તા પાસે આવનાર શ્રોતાઓએ પણ એ જ વિચારવું જોઈએ કે પ્રભુમાર્ગને ત્યાગ મારામાં કેમ આવતું નથી. હૃદયમાં એ જ હરદમ વિચારવું જોઈએ કે મને હજુ ત્યાગભાવના જોઈએ તેવા પ્રમાણમાં કેમ મુસ્કુરાયમાન થતી નથી ? ત્યાગની ભાવનાથી હું ભીંજાઉં નહિ ત્યાં સુધી મારી પૂજા તે પૂજા નથી એમ કેમ વિચારતું નથી? પૂજ્ય બનવાની પ્રૌઢ ભાવના દરેકને આવે છે. પણ તે પૂજ્યતા પામવાના પ્રૌઢ સંસ્કારે ગુરુચરણસેવાના અભિલાષીએ હેય તેને જ મળે છે, કારણ કે એ સુંદર સંસ્કારોને સુદઢ બનાવવાનું ઉચ્ચકોટિનું જ્ઞાન પરોપકારી ગુરુએ આગમ દ્વારા એ સંપાદન કરેલ હોય છે. અને પિતાના સંસર્ગમાં આવનારને તે જ્ઞાનથી નવલ્લવિત કરે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલે શ્રાવક સાધુપદ પ્રત્યે જેટલે વિનય બહુમાન ધરાવે છે. તેટલે વિનય બહુમાન તે સાધુ થયા પછી ઘરાવી શકતા નથી, કારણ ઘણું છે. છતાં તે પૈકી એક કારણ વિચારીએ તે તે સમાનતાનું સેમલ છે. તે એટલું હાડોહાડ વ્યાપેલું હોય છે કે હદયમાં હરપળે લાંબા પર્યાયવાળા પુ. આચાર્યો, ઉપાધ્યાય અને વિરોને એક સરખી કે ટિમાં ગણવાની ધષ્ટતા અંગીકાર કરે છે. એટલે સાધુ થયા બાદ તે હૃદયમાં વિચારે છે કે “મારા કરતાં તે બધા વધુ શું કરે છે !!!” હવે ચાલે મૂળ વાતમાં. ત્યાગને માટે ભવ જીવન–સમર્પણ કરવાવાળા, ત્યાગને ફળીભૂત કરનારા, ત્યાગનું કિંડિમ વગાડનારા આ જ મહાપુરુષ! એ જ માટે આ મહાપુરુષની હું પૂજા કરું છું. દીવાને ઉપયોગ અંધારાના નાશ માટે છે, જેને અંધારાને નાશ કરે નથી તેને દી કરે શું? આ વાત તમને ગળથુથીમાં પાવામાં આવી છે તેમને સમજાવવામાં આવ્યું છે કે અઢાર દોષ રહિત તે દેવ છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy