SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આનંદ પ્રવચન દર્શન તિકદેવ પિતાને કલ્પ ફકત સાચવે છે. અર્થાત લેકાંતિક કહે તે જ ભગવાન દીક્ષા લે એવું નથી જ. પુસ્વિં તે પૂર્વે તે ભગવાનને અનુત્તર જ્ઞાન હતું અને હમણાં પણ છે, અને રહેશે કે તેથી પણ વધશે. આથી જ શાસ્ત્રકાર કહે છે કે તીર્થકરને પિતાને પોતાની મેળે જ કરવું પડે છે અર્થાત્ સ્વશક્તિથી સ્વઆલંબનથી જ તીથ કરે કૈવલ્ય દશા પ્રાપ્ત કરે છે. ગાઢ અંધકાર વખતે સ્પ-રસ–ગંધ અને શબ્દ એ ચારેના વિષય કરવાની તાકાત ઇન્દ્રિયની છે. પાંચમી ઇદ્રિય ચક્ષુ હયાત છે. પણ અંધકારના પ્રબળ પ્રભાવે રૂપને સાક્ષાત્કાર તે ઉપર્યુક્ત ઇંદ્રિય કરી શકતી નથી, તેવી રીતે પાંચે રસની પૂરી મજા હેય, સૃષ્ટિમાં સર્વ પદાર્થોની હયાતિ હોય છતાં પણ તીર્થકરો સિવાય બીજા કોઈ પણ પદાર્થને પદાર્થના સ્વરૂપમાં જાણી શકતા જ નથી. આત્મિક દ્રષ્ટિએ. ત્રણ પલ્યોપમના આયુષ્ય કમશઃ ઘટી ગયાં એટલે તીર્થકરે. જમ્યા, યુગલા ધર્મ વિરછેદ થવાની તૈયારીમાં તીર્થકરો જમ્યા, રસ–ગંધ-સ્પર્શાદિ વિષયમાં દિનપ્રતિદિન ઓછાશ થવાની તૈયારીમાં તીર્થકર જમ્યા, મનમાગ્યું આપનાર કલ્પવૃક્ષો પણ અદશ્ય થયાં અને તે વખતે તીર્થકરોનાં પગલાં થયાં. ખરેખર! ઊંડાણથી વિચાર ન કરો તે તમે તરત કહેવાને લલચાશો કે તીર્થકરો સુખસાહ્યબીનાં સંપૂર્ણ સાધનેની ગેરહાજરીમાં જન્મ્યા !!! બલ્ક દુઃખને પગલે તીર્થકરો જમ્યા !!! આવું કહેતાં પહેલાં આંધળાનું દષ્ટાંત અહીં બંધબેસતું થશે, કારણ કે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ વિષે મજુર છે પણ આંખ વગર આંધળાને જેમ પિતાની જિંદગી ઝેર જેવી લાગે તેવી જ રીતે દુનિયાની સામગ્રી ભરપટ્ટે હોય છતાં સમજુ માણસે જાણતા હોય છે કે વિવેકરૂપી નેત્ર ન મળે તે અઢાર કોડાકોડ સાગરેપમને કાળ એ બધે અંધાપ. આંધળાના અંધાપાને અને તેને અંગે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy