SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આનંદ પ્રવચન દર્શન આરાધના કર્યા વગર કાઈ પણ કેવળી થઈ ગયા, થશે અગર થાય છે એવું તેા બન્યું નથી, ખનતું નથી અને ખનશે પણ નહિ જ. કેવળીના કરેલા-બનાવેલા ધર્મ એ પણ કહી શકતા નથી તેમજ કેવળીએ કહેલા એ પણ કહી શકતા નથી ત્યારે શ`કા થશે કે કહેવું શું ? કરેલા' એટલે 'બનાવેલે!' કહેવામાં અડચણ છે અને ‘કહેલા’ કહેવામાં પણ અડચણ છે પણ એ કરેલે' અગર કહેલા' એ એ શબ્દોનું ઊંડું રહસ્ય સમજાય અને લક્ષ્યપૂર્વક એલાય તા તે બે શબ્દો ઉચ્ચારવામાં વાંધા નથી. આ વાતને ખુલાસા આગળ પર વિસ્તારથી થવાના છે એટલે આપણે તે તે આગળ વિચારીશું. કેવળીના થયા પહેલાં હિંસા, જૂઠ, ચારી, મથુન અને પરિગ્રહ આદિ સેવનથી પાપ થતું હતું કે નહિ ? ક્રોધાદિ કષાયા કરવાથી પાપ અધાતુ` હતુ` કે નહિ ? તેમજ કેવળીના ઉપદેશ વગર પૂર્વ કરેલાં પાપા રોકાતા હતાં કે નહિ અગર સંજોગવશાત્ રોકવાને ઉદ્યમ થતા હતા કે નહિ ? કહેવુ પડશે કે પૂર્વ (કેવળીના પહેલાં) પાપ બંધાતાં હતાં અને તે પાપ છૂટવાનાં સાધનાનું સેવન પણ થતું હતું. જો પાપનુ' થવું અને પાપનુ રેકાવુ તે પ્રથમ પણ હતુ, તે તીર્થંકરાએ વધુ શું કર્યું? જેમ કાયદો બંધાયા પછી કાયદા વિરુદ્ધ જનારને ગુનેગાર ગણવા અને કાયદાને માન આપનારને શાબાશી અને શિરપાવ આપવા એ વ્યાજબી ગણાય તેવી રીતે જિનેશ્વર મહારાજના સિદ્ધાંતની હયાતિમાં થએલાં પાપ ગુનાઓ તે પાપ ગણવા અને તેથી તે જ ગુનેગારે પાપી છે. તે સિવાયના ગુનેગારા નથી; તેમજ જિનપ્રણિત સિદ્ધાંતા પ્રરૂપાયા પછી જે સેવન કરે તે ધન્યવાદને પાત્ર અને તેએ જ પુણ્ય મેળવી શકે અને નિરા કરી શકે, પણ જિનેશ્વરના સિદ્ધાંતના વિરહકાળમાં કરેલાં પુણ્ય પાપ અગર નિર્જરા પામવાનાં કાર્યાં તે હિસાબમાં ન ગણવા એમ તા તમે માનતા નથી. બલ્કે તીર્થંકરદેવ વિદ્યમાન હાય કે ન પણ હોય તા પણ જાણતાં-અજાણતાં સેવેલાં હિંસાદિ પાપા તે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy