SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આનંદ પ્રવચન દર્શન રીતે સઘળા તીર્થકરોને માને અને પૂજે છે. વીરશાસન એટલે જેનશાસન કહેવામાં લેશભર દોષ નથી. વસ્તુત વીરશાસન = જૈનશાસન. આ બાબતની વધુ સાક્ષી શ્રી પંચમંગળ મહામૃત સ્કંધ શ્રી નવકાર મંત્ર પૂરે છે. અને શ્રી નવકાર મહામંત્રમાં એ ખૂબી છે કે ત્યાં પ્રથમ પઢમાં નમો અરિહંતા કહ્યું પણ ત્યાં નો વારસ, નમો જમરણ પૂ. ગુરુપદના સ્થાને નવો જોમર્સ, નમો વંતુર ઈત્યાદિ નામ ન રાખ્યાં. આ નામ નહીં રાખવાનું કારણ વિચારાય તે રહેજે સમજાઈ જાય તેમ છે કે પ્રભુમાગમાં વ્યક્તિની એટલી બધી વિશિષ્ટતા નથી કે જેટલી વિશિષ્ટતા જાતિની છે. વ્યક્તિના સંબંધે રાગવાળ થવું એ પણ એક વિષ છે. વ્યકિતને રાગી નિરાગી બનવા જતાં રાગી બની જવાનો સંભવ છે, તેથી જાતિની અધિકતા ગણી અને જાતિમાં પણ ગુણને લીધે જ અધિકતા છે. - આ વ્યકિતનું શાસન નથી, જિન એ જાતિવાચક નામ છે. વ્યક્તિવાચક “જિન” શબ્દ નથી. જિન એટલે રાગદ્વેષને જીતનાર, એ કોઈપણ કાળ નથી જે કાળમાં રાગદ્વેષ છતાતા ન હોય. અનાદિ કાળથી રાગદ્વેષ જીતવાની એકસરખી પદ્ધતિ હતી, છે અને હશે. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરદેવ સુધીના બધાયે વ્યકિતગત તીર્થકરે. ખરા, પણ તે બધાની ગણના “નમો અરિહંતાણું” જાતિવાચક પદમાં અંતર્ગત છે. અનાદિકાળમાં રાગદ્વેષને જીતનારા એકલા પ્રભુમહાવીર હતા, પ્રભુ ઋષભદેવ હતા એમ નહિ પણ પૂર્વે ઘણા હતા. વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં જીતનારા થશે અને બધાની રાગદ્વેષ જીતવાની પદ્ધતિ એક સરખી છે. (૩) એક દેવદીપક અનાદિનું તીર્થ હોવા છતાં રાગદ્વેષ જીતવાની પ્રવૃત્તિ પૂ. તીર્થકરે જન્મ અને જન્મ્યા બાદ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચર્યાનું સેવન કરી કૈવલ્યજ્ઞાન પામી તીર્થ સ્થાપે ત્યારે જ શરૂ થાય. અર્થાતું શાસન
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy