SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં ચિહ્નો ૧૫૫. તેનું મૂળ છે, કે જે બહાર જણાતું નથી. થડ, ડાળી, તથા પાંદડાંના પ્રમાણ ઉપરથી જમીનમાં દટાયેલું ઝાડનું મૂળ કેટલું ઊંડું ગયું હશે. તે પણ સમજી શકીએ છીએ, અનુમાન કરી શકીએ છીએ. તેમ આત્મામાં રહેલે ધર્મ થડ, ડાળાં વગેરેની જેમ બહાર દેખાતાં ચિહ્નોથી જાણ શકાય તેમ છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ડાળાં, પાંખડાં વગેરે દ્વારાએ ધર્મ તપાસવાનું, (આત્મામાં ધર્મ છે કે નહિ તે નિહાળવાનું) કહે છે. તે ડાળાં, પાંખડાં કયાં? ઔદાર્ય દાક્ષિણ્ય વગેરે. આ જગમાં અનાદિકાલથી આ આત્માને “અહીંથી લઉં કે તહીંથી લઉ એવો સંસ્કાર પડે છે. બે-ત્રણ વર્ષનું બાળક હાથમાં રૂપીઓ લઈ માલ લેવા જાય તો તેને કઈ આપે નહિ છતાં તેના હાથમાંથી રૂપીઓ લઈ લે તો ખરા !! એ રૂપીએ છેડાવ સહેલ નથી; ઘણું મુશ્કેલ છે. રૂપીઆ માટે (રૂપીઓ ન છોડવા માટે) વલુરાં ભરે, બચકાં ભરે, પગ પછાડે, ચીસે નાંખે, બધુંયે કરે પણ પીઓ. છોડે નહિ, હા ! રોતાં રોતાં થાકે, સૂએ, ઊંઘી જાય પછી રૂપીઓ કે પૈસે જે હોય તે એના હાથમાંથી લઈ લે તેનું તેને ભાન નથી, જાગ્યા પછી રૂપીઆ કે પૈસાને તે સંભારતું પણ નથી. બાલ્યવયમાં રૂપીઓ છૂટ નથી એટલે કે એવા તીવ્ર લેભના અનાદિ સંસ્કારને પ્રત્યક્ષ પ્રભાવ છે. ધર્મનું પહેલું ચિહ્ન : ઔદાય હવે “લની જગ્યાએ “દ મૂકેઃ અર્થાત્ લઉ”ને સ્થાને “દઉં? આવી ભાવનાથી ભરપૂર બને, લેવા દેવાના કાટલાં જુદાં રાખવાનું કાર્ય મનુષ્યોને ન શોભે. આ સંસ્કાર થાય, વધે, જાગે તે માને. કે એમાં કલ્યાણ છે. ધર્મને એ પ્રથમ અંકુરે. દેવાની ભાવનામાં કલ્યાણની બુદ્ધિ કેટલી ? એ બુદ્ધિનું જેટલું પ્રમાણ તેટલે ધર્મ, દેવાની ભાવનાને બદલે લેવાનું તથા સંઘરવાનું મન તેટલી કલ્યાણ-- બુદ્ધિ ઓછી, તેટલે ધર્મ છે. ધર્મનું પહેલું ચિહ્ન ઔદાર્ય છે. દેવામાં કલ્યાણબુદ્ધિ માને, પછી દે પોતાની શક્તિ પ્રમાણે દાનને ધર્મનું ચિહ્ન કહ્યું, કારણ કે દેવાને આધાર તે શક્તિ પર અવલએલ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy