SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ ૧૪૧ ગુરુ, ધર્મ ત્રણ તત્ત્વ છે. તે નમો વાળ મુળ ઘમરણ દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર. એવું કહી દઈએ તે શું વળે? નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ લાવવા છે. અરિહંત ને સિદ્ધ ભગવાન દેવ, આચાર્ય આદિ ગુરુ અને દર્શનાદિ પદોથી ધમ આવી જાય છે, માટે સીધા જ ત્રણ તો કહી દો. સમાધાન––દેવ, ગુરુ, ધર્મ એ ત્રણ તત્ત્વ છે, પણ દેવના બે ભેદો ન સમજે તે દેવ દેવ શબ્દ પિકારતા પોકારતે રખડી મરે!!! સાકાર અને નિરાકાર દેવ બે પ્રકારના સાકાર દેવ ન સમજે તે નિરાકારને સમજવાનો વખત આવે નહિ. પહેલા પદે સાકાર છે, બીજા પદે નિરાકાર છે. અહીં આચાર્ય નામ કેનું ? જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં જે બરાબર પ્રવીણ હૈય, ગણધર ગુતિ સૂત્ર અર્થ તદુભયના વેત્તા બની વસ્તુસ્થિતિને પ્રરૂપનાર, પૂર્વોકત પંચાચારમાં પ્રવર્તનાર અને પ્રવર્તાવનાર તે આચાર્ય. આ જાતિવાચક પદોમાં સામાન્ય જનાચાર્ય કહ્યા નથી, પણ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરનાર જૈનાચાર્યો જ આ પદમાં હોઈ શકે. અહીં આચાર્યને નમસ્કાર કરે છે. દુનિયાના બધા આચાર્યને નમસ્કાર નથી. દેવતત્વના પ્રરૂપકે જ ગુરુપદમાં બિરાજે છે !!! ડુંગર બેદીને ઉંદર કાઢવાને આ રસ્તો નથી. અરિહંતના તત્વને અમલમાં મૂકનારાઓ જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પરમેષ્ઠિપદમાં સુશોભિત છે. તે સિવાય બાકીના નામના આચાર્ય. ઉપાધ્યાય અને સાધુ સાથે અહીં લાગતું વળગતું નથી. જે શ્રદ્ધાહીન હોય તે જ એમ બેલી શકે કે “આચાર્યથી, ઉપાધ્યાયથી અને સાધુથી બધા આચાર્ય કેમ લેવા નહિ? જો કે અહીં સુવિશેષણ લાગ્યું નથી, પણ અહીં આચાર્ય જ્ઞાનાચારાદિ આચારમાં વર્તતા હોય, પ્રરૂપતા હય, પ્રવર્તતાવતા હોય તે જ ગણવાને છે. ઉપાધ્યાય દ્વાદશાંગી ભણેલા હેય અને શિષ્યોને ભણાવતા હોય તે ગણવાના છે. કપડાં માત્ર પૂલટાવવાથી આચાર્ય, ઉપાધ્યાય અને
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy