SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશક (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) દેશના—દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આના વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે—એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની-દેશનાની આવશ્યકતા છે. આવી દેશના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલંકૃત પુરુષોત્તમ જ ચેાગ્ય ગણાય. આ જ હકીકતને જૈન ષ્ટિ ચરિતાર્થ કરતી હાય એમ જણાય છે, કેમકે જૈન મંતવ્ય પ્રમાણે જનાના તીથ કરેશધમતી ના સ્થાપકા સજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તે સર્વજ્ઞ બન્યા બાદ દરરાજ એ વાર ત્રણ ત્રણ કલાક સુધી ચેાજનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પણ રહેતા નથી. વિશ્વવત્સલતા તેા આપેાઆપ જ પેાતાનું કાર્યં કરે જ ને ? કોઈ વ્યક્તિ ડૂબી જતી હાય અને એ કાંઠે ઊભેલા માણસના જોવામાં આવેતે ડૂબતી વ્યક્તિ ખચાવવા માટે બૂમ પાડે ત્યાં સુધી એ થોડાક જ રાહ જુએ ? જ જૈન દર્શનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તેા તીરે અતાવેલા જ માર્ગે ચાલવાનુ` છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના ધ્યેય અને રાહુ એક જ છે. આથી તે! વિશ્વના કલ્યાણ માટે જેમ તી કરી દેશના દે છે તેમ ‘ગુરુ' પદે બિરાજતી વ્યક્તિએ પણ જૈન શાસનને વફાદાર રહી એ કાય કરવું જ જોઇએ. આવી પરિસ્થિતિમાં આગમાદ્ધારકને હાથે એમના સુદીધ દીક્ષાપર્યાયને લઇને અનેક વાર દેશના અપાઈ છે તે ચેાગ્ય જ થયું છે. આ દેશનાઓનું ભાષાદિ રૂપ ખાદ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પરંતુ એમાં રહેલ આત્મા તેા ભિન્ન ભિન્ન વરૂપે છે. વિષય——તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં સર્વે આસ્તિકાએ સ્વીકારેલાં– એમને માન્ય દૈવ, ગુરુ અને ધમ એ ત્રણ તવામાં ‘દેવ' તત્ત્વની સૌથી
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy