SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રવચન દર્શને - મેહરાની મારકણી બરફી લુચ્ચાને કરંડિયાની બરફી મૂર્ખા સિવાય બીજે કઈ ખાવા માગતું નથી. જે મૂર્ખ હોય તે જ બદમાશની આણેલી ટપલીમાંની બરણી ખાવા ઈચ્છે છે. જેમ લુચ્ચાની બરફી ખાવામાં જોખમ છે, તેમ જ મહરાજાની બરફી ખાવામાં પણ જોખમ સમાએલું છે. મહારાજા એ બડે ઠગ છે, માટે ચોરટો છે, જબરો ધાડપાડુ છે. એના વિષયકષાય આદિ જે કાંઈ ત છે તે બધાંએ એ મેહરાજાની બરફી સમાન છે. જેમ ચારની ધાડપાડુની બરફી ખાવાની કેઈસુજની ઈચ્છા કરતું નથી, તે જ પ્રમાણે મહારાજની વિષયકષાયરૂપ બરફી પણ તે જ ખાવા ઇરછે છે કે જેઓ મિથ્યાત્વરૂપી અજ્ઞાની છે. મેહરૂપી મદિરામાં સ્વાત્મભાન મૂકીને જેઓ ઘેલા થએલા છે, તેઓ જ માત્ર મહરાજાની મીઠાઈને મીઠાઈ માનીને તેમાં રાચે છે. એ મીઠાઈના રવાદથી રાજી થાય છે, અને તે મીઠાઈના ખૂબખૂબ વખાણ કરે છે, પરંતુ જેઓ શાણું છે, સજજન છે, તેઓ તે મહરાજની એ બરછીને જવલંત ઝેર માને છે છે અને તેનાથી આ માગવાની જ વાત કરે છે. દેવ અને ગુરુ બને ત્યાગી. દુનિયાદારીના સામાન્ય સુખને જેઓ દુઃખરૂપ લેખે છે અથવા તેનાથી જે પિતાને ગેરલાભ માને છે અને દુનિયાદારીના સંકટ, ભૂખ, તરસ, તાપ, ટાઢ ઋતુઓને પ્રકોપ સહે એ બધાને જે આત્માના સુખ લેખે છે, તેને જ સમ્યગજ્ઞાન થએલું છે એમ તમારે સમજવાનું છે. સમ્યગદષ્ટિની તાત્વિક માન્યતા કયાં ટકે છે, તે જ તમને સમજાવવાને અમારો હેતુ છે. તમે તીર્થકર, દેવ, ગુરુ ઈત્યાદિને પહેલાં સમજે. રાજાને રાજા સમજીને સલામ કરનારા બહુ થડા છે, પરંતુ એક સલામ કરે તે બીજે પણ સલામ કરે એવા ઘણા હોય છે. તમે એવા સલામીયા ને થશે. દેવ, ગુરુ અને ધર્મને પહેલાં સમજે. આપણા દેવ તે પણ ત્યાગી છે, હજારની માલ-મિલકત, લાખે ની દોલત, કરડેની શહેનશાહ એ સધળાને લાત મારીને સંયમ સ્વીકાર્યો છે તેવા આપણે દેવે છે. જેના શાસનમાં ગુરુએ જેશે તે તેઓ પણ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy