SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^^ ^^^^^ ^^^^ ^ ^ સુખ દુઃખની સમીક્ષા ૧૨૯ લઈ જાએ તે પણ તે તમને જોઈને વહેમથી કંપે છે, કીડી પાણીના વેગમાં તણાઈ જવાની અણી ઉપર હોય અને તમે તેને બચાવી લેવાને માટે એ જગાએથી ઊંચકી લે, તો પણ શંકાથી તે કીડી પિતાનું અનિષ્ટ થવાનું છે એવા વિચારે કંપી ઊઠે છે ! સામાન્ય છે અને સમકીતિ જવો. “મળેલા દુઃખથી કંટાળવું અને પ્રાપ્ત થએલા સુખથી રાજી થવું” એ તે જીવ માત્રને સ્વભાવ છે. બિલાડીને તમે ગમત કરવા ખાતર પાંજરામાં પૂરી દે છે તે પણ તે છૂટવા માટે આકાશપાતાળ એક કરી મૂકે છે. જગતમાં કઈ પણ એવું પ્રાણ નથી કે જેને આવેલા દુઃખથી કંટાળો ન આવતું હોય ! દુઃખની ઉપર અપ્રીતિ થવી એ તે આ સંસારના જીવમાત્રને સ્વભાવ છે. જે દરેક જીવને પણ એ જ સ્વભાવ હોય અને સમકીતિને પણ એ જ સ્વભાવ હોય તે પછી સામાન્ય જીવો અને સમકાતિ જીવા વચ્ચે શું તફાવત રહ્યો ગણાય ? ત્યારે ખૂબ ગંભીરતાથી વિચાર કરો કે સમીતિન ધર્મશે ? આ જગતમાં દુ:ખ ઉપર મનુષ્યને સેંકડેમણે તિરસ્કાર છે, અને તેમને જેટલે દુઃખ ઉપર તિરસ્કાર છે તેના કરતાં સેંકડે ગણે પ્યાર, અરે ! લાખ ગણી પ્રીતિ સુખ ઉપર છે. હજી તો તમે એ સ્થિતિમાં છે કે માનવના સુખને-જગતના સુખને જ તમે સાચું માને છે અને જગતની દષ્ટિએ જે દુઃખ છે તેને જ દુઃખ માને છે તે પછી તમારું સ્થાન કયાં છે, એ તમારે પોતે જ વિચારીને નક્કી કરી લેવું રહ્યું ! જગત એટલે ભાંગેલી હસ્તિશાળા. જગતને શાસ્ત્રકારોએ ભાંગેલી હસ્તિશાળાની ઉપમા આપી છે. તે કેવી રીતે યોગ્ય ઠરે છે તે તપાસી જેશે તે તમને ખાત્રી થશે કે શાસ્ત્રકારની દૃષ્ટિ કેવી વિશાળ છે ! દિવાળીમાં સાંભળીએ છીએ કે હસ્તિપાળ રાજાને સ્વપ્ન આવ્યું હતું. આ સ્વપ્નામાં તેમને એ દેખાવ નજરે પડ હતું કે એક જૂની હસ્તિશાળા તેમને દેખાઈ હતી. એ હસ્તિશાળા જૂની હતી તેથી રાજાએ નવી હસ્તિશાળા કરાવી હતી અને તે પછી તેમણે એ જૂની હસ્તિશાળામાંના હાથીઓને નવી હતિશાળામાં
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy