SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ દુઃખની સમીક્ષા ૧૧ ચીજ છે. બાળક જેમ વીંટીની મહત્તા સમજ્યા નથી તેમ આપણને આપણું અંતરમાં ધર્મની મહત્તા ઠસવા પામી નથી. નાનું બાળક ખાવાના સુખની સાથે વીંટીની હરીફાઈ કરે છે, તેમાં તે ખાવાના સુખને આગળ રાખે છે, એ સુખને મહત્વનું ગણે છે અને વીંટીને પાછળ પાડે છે. આપણે ધર્મનું મૂલ્ય એ રીતે પણ નથી આંકી શકતા. આપણે સુખ, દુઃખ, કર્મ, પુણ્ય, પાપ, બધું બરાબર સમજીએ છીએ. આપણે જે સારા નરસાં કામે કરેલાં હોય છે, તેનાં ફળો આપણે જ ભેગવવાનાં છે; એ આપણે સારી રીતે જાણીએ છીએ. આપણાં પાપોનું પ્રતિકૂળ એ જ રોગ છે એવું પણ આપણે માનીએ છીએ, તે છતાં આપણે દુઃખ વખતે, રોગ વખતે પ્રતિક્રમણ, સામાયિક, પૂજા સઘળું પુણ્યનું કાર્ય આઘે મૂકી દઈએ છીએ અને આરંભ, સમારંભ, વિષય, કષાય ઈત્યાદિમાં ધમધોકાર ચાલુ રહીએ છીએ. લુચ્ચાઓ, બદમાશો, ચોરટાઓ ચેરી કરવાની હોય ત્યારે આગ લગાડે છે. તેમની વૃત્તિ એવી હોય છે કે આગ લાગે અને. ભડકા થાય તે ત્યાં લોકો ભેગા થાય અને એમ બને તે ચેરી. કરવાને લાગ મળે. ખોટની પેઢી જ્યાં સુધી ચાલે? આવા ચેર, બદમાસે, ધાડપાડુઓ આ રીતે બે ગુના કરે છે. એક તે આગ લગાડવાનો અને બીજો ગુને ચોરી કરવાનો. જ્યારે આવા ચેરને સજા થાય છે, ત્યારે તેને સજા પણ બેવડી થાય છે અને તેના ગુના પણ બેવડા ગણાય છે. એક ગુને ચેરી કરવાને અને બીજો ગુને આગ લગાડવાન. તેને સજા થશે તે તે પણ બેવડા ગુના માટે બેવડી જ થશે ! તમારા મહોલ્લામાં પણ આગ લાગે અને તેના પ્રચંડ ભડકા થવા લાગે તો તમે પણ જે દુકાને એકલા હે તે. દુકાન છેડીને ત્યાં જવાના જ નથી ! એ જ પ્રમાણે આપણું પાપે પણ દુઃખરૂપી આગ સળગાવી છે, તમે તેમાં દોરાયા એકલે આરંભાદિ કાર્યોમાં ફસાઈ ગયા! તમે પુણ્યથી પરવારી તે ગયા છે જ, કારણ કે તમે દરરાજના નિયમ પ્રમાણે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy