SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આનઃ પ્રવચન ન સૌથી પહેલાં એ વાત સમજાવવા માગે છે કે જગત અને જગતની વસ્તુઓ રૂપી મિઠાઇના કરતાં ધર્મારૂપી વીટી વધારે કિ ́મતી છે. તમે એટલુ જ સમજો કે જગત અને જગતની વસ્તુઓથી ધર્મ વધુ કિ`મતી છે, એ જ અર્થ છે પછી તમે એથી જેટલી ધર્મની કિંમત આંકવામાં આગળ વધા તેટલા પરમાથ છે. આ તે અક્કલ કે મૂર્ખાઈ છ મહિનાના છેાકરાને વીટી અને ખરફી ખને સરખાં છે તે બાળક મેાટું થઈ ને એક વર્ષનું થાય છે, ત્યારે વાટી અને બરફી એ બંનેમાં ખરીને જ તત્ત્વ ગણે છે, ત્રણ ચાર વર્ષનું નાનું બાળક હાય તા તે બાળક પણ પ્રસંગ આવે પેાતાની વીંટી આપી દે છે અને બરફીનુ` પડીકુ લે છે. ખરફીનુ' પડીકું લઈ લેવામાં બાળક તે નિર્દોષ છે, કારણ કે તે ખરફી અને વીંટીના મહત્ત્વને જાણતું નથી, પરંતુ ખાળજીવા તેા ધર્માંની મહત્તા જાણ્યા છતાં ધર્મ ને ધકકો મારીને વિષયસુખને અપનાવી લે છે. તે ઉપરથી ખ્યાલ આવે છે કે આપણા જીવની દશા પણ બાળકના જેવી જ છે. બાળકપણામાંથી આપણે આગળ વધી શકયા નથી. જયારે આહાર, શરીરાદિનું કામ પડે છે, ત્યારે જરા પણ સંકોચ રાખ્યા વિના આપણે ધર્મને વહેતા મૂકી દઈએ છીએ ! તાવ આવે, તખિયત બગડે, માથું દુઃખે તો આપણે આજે તા જીવને ઠીક નથી, એમ કહીને સામાયિક, પ્રતિક્રમણ કરવાનું માંડી વાળીએ છીએ ! આ આપણી બુદ્ધિશીલતા છે કે મૂર્ખાઈ છે તે વિચારો. શરીરને દુઃખ આવ્યું એથી આપણે સામાયિક, પ્રતિક્રમણ એ ધર્મ-પુણ્યનું કાય પણ પડતું મૂકયું અને ઢીલા થઈને હાથ જોડીને બેસી ગયા ! પુણ્યની સાથેય રિસામણાં જરા આપણે એટલા પણ વિચાર કર્યો છે ખરો કે આપણું શરીર બગડચું છે તે શાથી બગડયું છે ? શું પુણ્યના ઉદય થયા અને તેથી ધ્રૂજારી ચઢીને તમને તાવ આવ્યા એમ તમે માને છે ? પુણ્યદયથી તાવ આવ્યા છે એવું તા કાઈપણ ધર્માવાળા માની શકતા નથી !
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy