SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી ૧૦૧ A બંને પક્ષને નિર્ણય જ્યાં માત્ર એક જ પક્ષને નિર્ણય છે, તેવા પ્રસંગમાં છાપ જોઈને તમે તેને ખરીદી લે છે, તે અહીં તો બે પ્રકારનો નિશ્ચય છે પછી તેમાં શંકા જ કયાં રાખવાની હોય ? ઉભય પક્ષે નિર્ણય અહીં કરવાનું છે અને એ જ રીતે અહીં ધર્મ, તત્વ અને શાસન કહેવાય છે. જેના ઉપર જનતત્વની છાપ હય, તે જ એ તત્ત્વાદિ સાચાં છે અને જે તેના ઉપર જૈનત્વની છાપ ન હોય તો એ ધર્મ, તત્વ કે શાસન કાંઈ પણ સાચાં માનવાનાં જ નથી. જયાં એક જ પક્ષે નિયમ છે ત્યાં એ વાત માનવાની છે કે “આ ચેકબું છે. પરંતુ “આ જ ચેકનું છે અને એના સિવાયનું બીજું જે કાંઈ હોય તે ચિકખું નથી” એ નિયમ નથી. જૈનશાસનમાં તો ઉભય પ્રકારનો નિયમ જ કામ લાગે છે કે શ્રીમાનું જિનેશ્વર ભગવાને કહેલું છે, તે જ ધર્મ છે અને જે કાંઈ ધર્મતત્વાદિ છે તે સઘળું શ્રી જિનેશ્વરભગવાને કહેલું જ છે, અને તેથી જ “કિનારા તત્ત” એ વચનોની અહીં સાર્થક્તા અને સંપૂર્ણ આવશ્યકતા છે. શુદ્ધિનો માર્ગ શોધો. જૈનશાસનના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્ર ઉપર જૈનત્વની છાપ પડેલી જ છે, પરંતુ આપણે પરીક્ષા વિના જ આપણું માલને શુદ્ધ કરવાને માટે દેરાઈએ છીએ, અને તેથી જ આપણું આત્માની માલિકીને જે ધર્મ છે, તેને સદુપયેગાદિ આપણે સમજી શકયા નથી. જે આપણે સદુપયોગ કરવાને જ સમજી શક્યા નથી, તે પછી સદુપયોગ કરવાનું અને દુરુપયોગ રોકવાનો માર્ગ તે આપણે કયાંથી જ સમજી શકીએ? ચાર્ટર બેંક નવું સોનું બનાવી આપતી નથી, તેના ઘરમાં કેઈ એ સંચે નથી કે જેના વડે તે નવું સેનું તૈયાર કરી શકે, ત્યારે વિચાર કરો કે ચાર્ટર બેંક શું કરે છે? અને સેનું કયાંથી લાવે છે? સેનું તે ખાણમાંથી નીકળે છે, તેને જ ઉપયોગ બેંક પણ કરે છે, પરંતુ ફેર એટલો જ છે કે ખાણમાંથી નીકળેલા સેનાને તે શુદ્ધ કરે છે અને પછી તેના ઉપર પિતાની છાપ મારે છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy