SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી વા તથા ” ક્ષાયિકભાવમાં જે વિદ્યમાન છે, તેઓને માટે “યથાવાદી તથાકારી એવો નિયમ નક્કી છે; પરંતુ ક્ષાપશમિકભાવનું વર્તન કેવું હોય છે તેને વિચાર કરી જુઓ. ક્ષાપશમિક ભાવમાં ગુરૂ પાસે વ્રત લેવામાં આવે છે. હવે જરા આગળ વિચારો. તમે ગુરુ પાસે વ્રત લે છે. એ વ્રત લેવાને માટે ભગવાન શ્રી તીર્થંકરદેવેએ કહ્યું છે કે નહિ? જે ભગવાને વ્રત લેવાનું કહ્યું હોય, તે તેમણે પણ વ્રત લીધેલું હોવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી તીર્થંકરદેવોને માટે એ નિયમ. કરેલો છે કે “તેઓ જે કાંઈ કહે છે તે પ્રમાણે કરે છે અને જે કાંઈ કરે છે તે જ પ્રમાણે કહે છે. આ નિયમ પ્રમાણે જે તેમણે વ્રત લેવાનું કહ્યું હોય તે તેમણે પણ વ્રત લીધું હોવું જોઈએ. જે તેમણે વ્રત ન. લીધું હોય અને તેમણે વ્રત લેવાનો ઉપદેશ આપ્યો હોય તે શ્રી જિનેશ્વરા માટેનો “યથાવાદી તથાકારીએ નિયમ બેટ કરે છે, અને જો તેમણે વ્રત ન લીધું હોય તે તેમણે વ્રત લેવાનો ઉપદેશ ન આપો. જોઈએ. વળી જે તેમણે વ્રત લેવાને ઉપદેશ ન આપ્યો હોય અને તે છતાં તમે વ્રત લીધું હોય તે તમારું કાર્ય ભગવાને ન કહ્યું હોય. તેવું કર્યા બરાબર ઠરે છે ! આ ગૂંચવણમાં પરમ પ્રતાપી જૈનશાસન શું ઉકેલ આપે છે તે હવે જોઈએ. (૨) સાચે ઉકેલ. ભગવાન શ્રી તીર્થંકરદેએ પોતે તે ગુરુ પાસેથી કઈ પણ જાતનું વ્રત લીધું જ નથી. હવે બીજું ઉદાહરણ લઈએ. તમે ગચ્છમાં ગુરૂકુળવાસ કરો છો. ગચ્છમાં રહી ગુરૂકુળવાસ કરો એ વાત શ્રીમાનું. તીર્થકર દેએ કહેલી છે કે નહિ? અને જે તેમણે ગરછમાં રહીને ગુરૂકુળવાસ કરવાને કહ્યો હતો તેમણે પોતે કયા ગુરૂકુળવાસ કર્યો હતે. વિનય ધર્મનું મૂળ છે.” આ સત્ય કેણે કહ્યું છે? જે વિનય ધર્મનું મૂળ છે, એ સત્ય તીર્થકસ્ટેએ કહ્યું છે, તે વિચાર કરજે, કે તેમણે વિનય કેને કર્યો હતે ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy