SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૨) પંડિત લાલન જૈન સિદ્ધાંત લાલનની દષ્ટિએ રાજયોગને માર્ગ છે. દશમાં પતંજલિને વેગ સીધી રીતે આવતું નથી, છતાં સર્વ દર્શને માફક જૈન દર્શને પણ પતંજલિના રાજગને અનેક રીતે અપનાવ્યો છે, એટલું જ નહિ પણ તે રાજયેગના કર્તાને જૈન ધર્મના માર્ગોનુસારી પણ ગણેલ છે. જુઓ જ્ઞાનાર્ણવ, શ્રી હેમચંદ્રનું યેગશાસ્ત્ર તથા ભગવાન હરિભદ્રસૂરિનું યોગદષ્ટિ સમુચ્ચય તેમ જ રાજગ પર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે કરેલી જૈન ધર્મને અનુસરતી ટીકા. તેમાં તેમણે એમ કહ્યું છે કે આખું ને આખું યેગશાસ્ત્ર લગભગ ૯૫ ટકા જૈન સિદ્ધાતને સાનુકુળ છે. પતંજલિના ૨૬ સુત્રો ઉપર યશોવિજયજીએ ટીકા લખી છે. તેમાં જે કે ૨૦ સુત્રોમાં તેમણે શબ્દાંતરે ભેદ બતાવ્યા છે છતાં અર્થાતરે ઉભયમાં રહેલી એકવાકયતાનું તેમણે પ્રરૂપણ કર્યું છે. ઈશ્વરનું સ્વરૂપ બીજા પાદના ૨૪ માં સુત્રમાં જે રીતે વર્ણવામાં આવ્યું છે તે જૈનોને સ્વીકૃત છે એમ થશે વિજયજીએ સાબીત કરી આપ્યું છે. યવિજયજી એક જ ભેદ રજુ કરે છે, અને તે ર૭ માં સુત્રમાં છે. આ ભેદ એ છે કે જ્યારે સાંખ્ય અને વેગ આત્માને ફૂટસ્થ માને છે ત્યારે જેનદર્શન આત્માને પરિણામ પણ જણાવે છે. એટલે કે આત્મા સ્વભાવે નિત્ય છે. અને ગુણેને પિંડ છે તેમજ છઘસ્થ અવસ્થામાંથી સિદ્ધપણું પણ તે પર્યાયે પામી શકે છે. અર્થાત્ તે કેવળી પર્યાયને પણ સિદ્ધ કરી શકે છે. આગળના સર્વે વિવેચનેમાં તમે બધાએ મારા
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy