SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજીની પ્રતિભા ( ૧૫ ) માટે અને વીરચંદભાઈનાં કાર્યમાં પુરવણી કરવા માટે અત્યંત આતુરતા અનુભવવા લાગ્યું, પણ ત્યાં જવા માટે તે બે-પાંચ હજાર રૂપિયા જોઈએ ! તેમનાં અડગ સંકલપનાં પરીણામે જોઈતી રકમ પંડિત લાલનને મળી ગઈ, પ્રવાસની બધી વ્યવસ્થા થઈ ગઈ અને શ્રી વીરચંદ ગાંધી પાછળ બીજે જ અઠવાડીએ પંડિત લાલન અમેરિકા જવા ઉપડ્યા. બને મીત્રે ઈંગ્લાંડમાં ભેગા થયા અને સાથે અમેરિકા પહેચ્યા. ત્યાં તેઓ કા વર્ષ જૈનધર્મ વિષે, જૈનધર્મનાં સિદ્ધાંત અને આચાર-વિચાર વિષે પંડિતજીએ કેટલાયે લેખ લખ્યા, સંખ્યાબંધ ભાષણે ક્યાં અને જૈનધર્મથી કેવળ અજાણ અમેરિકન પ્રજામાં જૈનધર્મ વિષે ખુબ માહિતી ફેલાવી. ૧૯૦૧ ના જાન્યુઆરી માસમાં તેઓ હિંદ ખાતે પાછા ફર્યા. અહિં આવીને તેમણે લખાણે લખવા માંડયાં, ભાષણ કરવા માંડયા, નવી દુનિયા પંડિતજી જેઈ આવેલા, વિચારસ્વાતંત્ર્યની નવી ભાવનાથી પંડિતજી રંગાયેલા. આની છાપ તેમના લેખે અને ભાષણે ઉપર પડયા વિના કેમ રહે? એ વખતને આપણે જેને સમાજ વિચારના પ્રદેશમાં કેવળ સુષુપ્ત દશા અનુભવતું હતું, નવા વિચાર અને નવી કેળવણીને બહુ જ અલ્પ ભાગને કાંઈક નહિ જે સ્પર્શ થયે હતે. પરંપરા વિરૂદ્ધ, ચાલુ રૂઢ માન્યતા વિરૂદ્ધ, કાંઈ પણ બેલાય કે લખાય-એ એ વખતને જૈન સમાજ સહન કરી શકે તેમ નહોતું. મૂળ સિદ્ધાન્તનું મૂળ માન્યતાઓનું ઉદાર ભાષ્ય liberal interpretaion કરવામાં આવે છે તે પણ એ વખતની સ્થિતિચુસ્ત મને
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy