SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ મરી ગયું રે લોલ ૩૩ ]. પંડિતજીને જન્મ કચ્છ માંડવીમાં તા-૧-૪-૧૭ ના થયો હતે. કચ્છની ધીંગી ધરાનું પાણી પીને સાહસિક બન્યા. જામનગરમાં મોટા થયા અને સૌરાષ્ટ્રની મીઠાશ ધારણ કરી. મોહમયી મુંબઈમાં શિક્ષણ અને સંસ્કાર મેળવ્યા અને વિદ્વાન બન્યા. મેટ્રિક સુધી અભ્યાસ કર્યો પણ જ્ઞાન પિપાસુ એવા કે પુસ્તકને જીવન સાથી ગણુને રાત દિવસના વાંચન મનન ને ચિંતનથી વિદ્વાન બન્યા. પહેલા તે રૂા. ૧૦) ના માસિક પગારથી શિક્ષક બન્યા. ૧૦) ના ૧૨ા થયા. ટયુશનની ફાવટ એવી આવી ગઈ કે રૂ. ૩૦૦) માસિક મળવા લાગ્યા. મ્યુનીસીપાલીટીના ફાનસને દીવે વાંચનની તૃષા છીપાવવા લાગ્યા. અને વકતૃત્વને પણ એ નાદ લાગે કે સારા વક્તા થવા માટે પ્રયત્ન કર્યો અને સારા વક્તા બની ગયા. અમેરિકામાં ચિકા શહેરમાં વિશ્વધર્મ પરિષદ મળવાની હતી. શ્રી આત્મારામજી મહારાજને જૈનધર્મને સંદેશ આપવા નિમંત્રણ હતું. જૈન સાધુ હેઈને ને તે પાદ વિહાર કરતા હોવાથી અમેરિકા જઈ શકે તેમ ન હતું. વીરભૂમિ મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી,
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy