SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ( ૧૦ ) પંડિત લાલન પંડિતજીની ઉંમર આટલી મોટી હોવા છતાં અને વૃદ્ધાવસ્થાનું આક્રમણ હોવા છતાં એમનામાં તેજસ્વીતા છે. એ તે જ ધર્મનું તેજ છે જે ધર્મશીલ હોય છે તેનામાં વરતા હોય છે. જે સાચે જ્ઞાની હેય છે તેનું તેજ વૃદ્ધા વસ્થામાં ઘટતું નથી. શરીર ભલે ક્ષીણ થાય પણ તે જ તે વિશેષ પ્રજવલિત થાય છે. આ પ્રભાવ ધર્મને-વીરત્વનેજ્ઞાનને છે. એમના ગુણ આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે. એમનું અવશિષ્ટ આયુષ્ય સ્વાધ્ય અને આરોગ્ય પૂર્ણ રહે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે.” પંડિતજીનું આ રીતે ભવ્ય સન્માન થાય. પુશ્ય પુરૂષ શ્રી કેદારનાથજી જેવાના મંગળ પ્રવચને થાય અને પંડિ. તજી ૯૧ વર્ષની ઉંમરે પણ પિતાની સાધનાની મંગળ કામનાઓ વાંચે છે તે કેવું મંગળમય ગણાય ! આજે પણ પંડિતજીને આત્મા જયાં હશે ત્યાં પિતાને મંગળ સંદેશ આપતા હશે ને હજારે હૃદયેને પ્રેરણાના પીયૂષ પાતા હશે. હું તે તેમને પુત્ર-શિષ્ય અને બાળક આજે પણ ૮૦ વર્ષની ઉંમરે તેમના સુધાભર્યા અમૃતવચને યાદ કરી મારી જીવનયાત્રાને સફળ બનાવી રહ્યો છું. હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy