SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ ( ૭૧ ) ઠરાવ મહાત્મા ગાંધીજીના જયનાદે વચ્ચે પસાર થયો હતું. આ ઉપરાંત શુદ્ધ સ્વદેશી વસા વાપરવા તથા શુદ્ધ સ્વદેશી વસ્તુઓ વાપરવાને ઠરાવ થયો હતો અને પ્રમુખ શ્રીએ તે પિતાના અસરકારક વિવેચનથી સ્વદેશી વચ્ચે માટે કેટલાક ભાઈ–બહેને પાસે પ્રતિજ્ઞા લેવરાવી હતી. વિશેષમાં ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓ જગ્યાએ જગ્યાએ ખેલવા તથા વ્યવહારિક શિક્ષણને પ્રચાર કરવા તથા જૈન કેળવણુ–મંડળ જેવી સંસ્થા સ્થાપવા અનુરોધ થયો હતો. તેમજ કન્યાવિક્ય, બાળલગ્ન-વૃદ્ધવિવાહ આદિ રિવાજોને નાશ કરવાને તેમજ ખોટા ખર્ચ અટકાવવા અને મૃત્યુ પાછળના રડવા-કુટવાના રિવાજો બંધ કરવાના ઠરાવમાં મેં પણ જોરશોરથી આ લેહી પીતા રીવાજોને નાબૂદ કરવા અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું. અહિંસા ધર્મના અનુયાયીઓએ હાથીદાંતની ચુડીયો, રેશમી વસ્ત્ર, ચામડાના પંઠાને વપરાશ બંધ કરવા તેમજ દેવ-દેવીઓના નામે થતાં બલિદાને બંધ કરવાનું ઠરાવ થયો હતો. એટલું જ નહિ પણ મુસલમાનભાઈઓએ ગૌવધ બંધ કરવા માટે અભિનંદનને ઠરાવ પણ શ્રી સુશીલ તથા મેં રજુ કર્યો હતો. આ પરિષદની કાર્યવાહી જોતાં પ્રમુખ સ્થાનેથી પંડિત લાલને એ સમયમાં સમાજની જાગૃતિ માટે કેવા જોરદાર કરા કરાવ્યા હતા તેની પ્રતિતી થાય છે. ઉપસંહાર કરતાં પ્રમુખ શ્રી પંડિત લાલને જણાવ્યું
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy