SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) જેથી સંસારમાં રોથાં ખાધાં. જે એકવાર પણ બધિરત્ન પ્રાપ્ત થયું હોત તે આટલે કાળ ભ્રમણ કરવું ન પડત. સંસારની તમામ પદ્દગલિક વસ્તુ તને મળી ચૂકી હશે. પરંતુ સમ્યકત્વરત્ન બહુ જ દુર્લભ થઈ પડયું. જે છે સિદ્ધ થયા, થાય છે અને થશે, તે તમામ સભ્યફત્વનાં માહામ્યથી જ થયા છે. આ સમ્યક્ત્વ રત્ન પામવા માટે મનુષ્યગતિ સર્વોત્તમ સાધન છે. માટે મહામૂલ્યવાળી આવી શુભ સામગ્રી પામો સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરવા હે આત્મા ! સારી રીતે યત્ન કરજે. જેથી તારી આ માનવભવની મુસાફરી સફળ થશે. આ બાબતની વિશેષ હકીકત સમ્ય કુત્વની પ્રાપ્તિમાં આગળ ઉપર વર્ણવેલી છે ત્યાંથી જઈલેવી. બારમી ધર્મ દુર્લભ ભાવના આ જીવને જયારે બધિ બીજની પ્રાપ્તિ થાય ત્યારે જ ધર્મ આરાધના કરવાની બરાબર રુચિ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વરૂપ અંધકાર આત્મામાં છવાઈ રહેલું હોય ત્યાં સુધી જીવને શુદ્ધ માર્ગ દૃષ્ટિગોચર થતું નથી. આ હતુ માટે સમ્યકત્વ પામ્યા પછી ધર્મનું આરાધન બરાબર કરાય છે. આ ધર્મભાવના જીવને ઘણું કઠિન છે. સંસારની વાસનાથી વાસિત થયેલા આત્માને વિષય, કષાય, સ્ત્રી પુત્ર અને ધનાદિકમાં જેવી પ્રીતિ થાય છે, તેવી જે ધર્મ પ્રત્યે થાય તે આ સંસારનાં સમગ્ર દુઃખેને નાશ કરવાને તે આત્મા સમર્થ થાય છે. આવા ઉત્તમ ધર્મને માટે પ્રત્યેક ભવ્ય પ્રાણીઓએ આદર કરે જોઈએ. જે જીવે આવા
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy