SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (e) જન્મે છે અને એકલા જ મરણ પામે છે. તે વાત જગપ્રસિદ્ધ છે. છતાં અજ્ઞાનથી અંધ બનેલા એકત્વ ભાવનાને ભાવતા નથી. દરેક પ્રાણી મનુષ્યજન્મ જેવા ચિંતામણી રત્નના અલભ્ય લાભ લેવાના અધિકારી હોવા છતાં પ્રમાદ વગેરે દુર્ગુણાને વશ થઈ પાતાના એકત્વનું શુદ્ધ સ્વરૂપ સ'પાદન કરી શકતો નથી તે કેવી ભૂલ ગણાય ? આ જીવ એકલા આવ્યા છે, એકલા જવાના છે ને ઉપાર્જન કરેલા શુભ-અશુભ કર્મોને એકલા જ લાગવવાના છે. અત્યાર સુધીમાં તને દુઃખમાં સહાય કરનાર કાઇ થયુ... નથી અને થશે પણ નહીં. આ પ્રમાણે એકત્વભાવના તારા હૃદયમાં ભાવી વિવેક દીપક પ્રગટ કરજે. તેના પ્રકાશથી તારા હૃદયના અ'ધકાર દૂર થશે અને તને ખાત્રી થશે કે આ સ'સારના સ`અધ સ્વામય છે અને ખરા સહાયક તો ધર્મ જ છે તેમ પ્રતિભાસ થશે. ' પાંચમી અત્યત્વ ભાવના पुत्रमित्रकलत्राणि वस्तूनि च धनानि च । सर्वथाऽन्यस्वभावानि भावय त्वं प्रतिक्षणम् ॥ અઃ—હું આત્મા ! આ જગતમાં પુત્ર, મિત્ર અને સ્ત્રી તેમ જ શ્રીજી વસ્તુઓ તથા દ્રવ્ય વગેરે પૌદ્ગલિક પદાર્થો સર્વ પ્રકારે જુદા સ્વભાવવાળા છે, એક સ્વભાવવાળા નહિ; એવી ભાવના તારા હૃદયમાં ક્ષણે ક્ષણે ભાવજે. હું ચેતન ! તું શુદ્ધ સ્વરૂપી છે. તે પરપુદ્ગલામાં પ્રવેશ કરેલે છે. પરમાં પ્રવેશ કરવાથી તને આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપ અનેક કષ્ટો પ્રાપ્ત થાય છે. પરપ્રવેશના આવેશથી તારામાં મમત્વના અંકુરો પ્રગટ થઇ આવે છે. જે અંકુરો તને તારા
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy