SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) મનનાં પરિણામ, તેની પ્રવૃત્તિઓ, તેના વિચારે વગેરે તપાસ્યું હોય તે અનેક પ્રકારે સાંભળનારને પણ કંટાળે આવે તેવા હોય છે. " વળી, હે ચેતન ! બીજા જીવ તારાં વખાણ કરે, તારી સ્તુતિ કરે એ સાંભળવાની તું ઈચ્છા રાખે છે પણ તારામાં ગુણે ક્યા છે તેને વિચાર કર. તપસ્યાને ગુણ, ક્ષમાગુણ, સમતા ગુણ, જ્ઞાનગુણ વગેરે તારામાં છે કે નહિ તેને વિચાર કર. જે ત્રણ પુરુષે થઈ ગયા તેની આગળ લેશમાત્ર તારા ગુણ પહોંચતા નથી તે પછી સ્તુતિ તથા તારાં વખાણ સાંભળવાની શા માટે ઈચ્છા રાખે છે? તે એવું કર્યું મોટું કાર્ય કર્યું છે જેથી અભિમાનમાં તણાતું જાય છે? આ જીવનમાં ઘેર તપસ્યા સર્વ વિરતિ, દેશ વિરતિ ચિત્યપ્રતિષ્ઠા, તીર્થજાત્રા, સંઘભક્તિ વગેરે કયાં કયાં શુભ કાર્યો કરી નાખ્યાં છે જેથી નરકાદિકની ભીતિ રાખ્યા વિના અભિમાનમાં તણાઈ જાય છે? વળી જેને માથે શત્રુ હોય તે સંભાળ રાખ્યા વિના કરી શકે નહિ અને ફરે તે દુર્દશાને પામે. અને તારે માથે તે યમરાજા (કોળ) જેવો મહાન શત્રુ છે તે છતાં બેદરકાર થઈને ફરવું તે ઉચિત નથી. માટે અહંકાર–દ કરવો ઠીક નથી. આવી સ્થિતિમાં હે ચેતન ! મજા નથી એ સ્થિતિથી ચોરાસી લાખ જીવા નિમાં નવનવા ભ કરવા પડશે. તિર્યંચ ગતિમાં કૂતરા, બિલાડા, વ્યાઘ, સિંહ, ઊંટ, સર્પ, ગધેડા, ઘેડા, વગેરેના ભવો કરવા પડશે અને ભવભ્રમણ ઊભું રહેશે. માનવજીવન હાથ આવ્યા છતાં, દુર્ગતિના ભવે ઉત્પન્ન
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy