SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય મહારાજે લીધેલા આ પરિશ્રમની સાચી કિંમત તેઓ જ સમજી શકે, કે જેઓ પિતાને અને જગતને કંઈક અંશે પણ સાચા પ્રકારે પિછાની શક્યા હોય અગર પિછાની શકે. છે. આ જગતના જીવમાં, જગતભરના જીવોની વાત તે દુર રહી પણ જગતના માનવામાં પણ મોટે ભાગ એ જ હોય છે, કે જે પિતાને જ પિછાનતા નથી અને એથી જગતને પિછાન નથી. જે પિતાને પિછાને નહિ તે જગતને પિછાની શકે નહિ અને જે પોતાને પિછાને તે જગતને પિછાન જ ન હોય એવું બને નહિ. એટલે ખરી મુશ્કેલી જ પિતાને પિછાનવામાં છે. - જગતને આખો ય પ્રવાહ ગતાનગતિકપણે ચાલી રહ્યો છે. માત્ર ગતાનુગતિકપણે જ નહિ, પણ મૂઢતાપૂર્ણ ગતાનુગતિપણે જગતના જીવન માટે ભાગ પ્રવર્તી રહ્યો છે. એમ ન હેત, તે જગતમાં વિષયનું અને કષાયેનું આટલું જોર ન હેત. ભાગ્યે જ કોઈ જીવને એ વિચાર આવે કે મેં આ દુનિયામાં મારું ધાર્યું મેળવી ય લીધું અને ધાર્યું કરી ય લીધું. પણ પછી શું? ઘણાને જે મળે છે તે મને મળતું નથી અગર મને જે મળે છે તે ઘણાને નથી મળતું, તેનું કારણ શું? કઈ મહેનત કરીને મળે તે ય ઐચ્છિક સામગ્રી મેળવી જાકત નથી અને કેઈને વગર મહેનતે વિપુલ સામગ્રી મળી જાય છે, તેનું કારણ શું? જીવ જે આવા વિચારે કરે, તે તે તેને જીવના કર્મને ખ્યાલ આવે. કર્મને ખ્યાલ આવે એટલે પૂર્વભવ હતે એવો ખ્યાલ આવે અને પૂર્વભવનો ખ્યાલ આવતાં પૂનર્ભવ. ભવ્ય છે આવી કલ્યાણકારિણી વૈરાગ્યભાવનાને પામે, એ માટે જ આચાર્ય મહારાજશ્રી વિજયભક્તિસૂરીશ્વરજીએ આ ગ્રન્થની રચના કરેલી છે. આ ગ્રંથને વાંચવાથી લાયક છમાં વૈરાગ્યભાવના પ્રગટે એ માટે આચાર્યશ્રીએ આ ગ્રંથની શરૂઆતમાં જીવોના ભાવ જામણને ચિતાર આપ્યો છે. વ્યવહાર રાશિમાં આવેલા જીવોને પડ્યું
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy