SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) થાય. વળી તે મારાથી ઊલટા ચાલનારા છે; છતાં તેનુ ધાર્યું થાય છે, આપણે તા હવે વ્યાખ્યાન નહિ સાંભળીએ.” પાંચમા કાર્ડિયાના પ્રબળ પ્રતાપથી ભવ્ય જીવ ધર્મ શ્રવણ કરતા અટકયા, દિવસ ખાલી ગયા. મેહુરાજાને ખબર પહોંચ્યા, માહરાજા આનતિ થયેા. છેડ઼ે દિવસે શુભ વિચારા ભવ્ય જીવને થવાથી પશ્ચાત્તાપ કરવા માંડયા. અરે આ મે' શું ચિંતવ્યુ ? શા માટે કષાય કરવા પડે ? કષાયના જોરથી ભલભલા મહાત્માએ સંયમને હારી જાય છે, તેા પછી મારું' શું ગજુ` ? ચેતનરાજ ! ઊઠે, ક્રોધ છાંડ, ગુરુ મહારાજ પાસે ગમે તે આવે તેમાં આપણને શી અડચણુ ?ગુરુ મહારાજને તેા રાજા કેર'ક, શેઠે કે વાણેાતર તમામ સરખા છે, કઈ પણ માણસ ધની સન્મુખ થાય તેજ તેમની ભાવના છે, માટે મારે શા માટે અમૂલ્ય સમય ગુમાવવા ? માટે ત્યાં જઈ જિનવાણી સાંભળવી. ઈત્યાદિ ઉત્તમ વિચાર કરી ધર્મ સાંભ ળવા ગયા. મેહરાજાને પોતાના આવા બળવંત ઉમરાવને જીતી લેવાથી વિશેષ ચિંતા થઈ. વળી માહરાજાએ વિચાયુ જે ચિંતા કરવાથી શુ' વળવાનુ છે ? તેને જિનવાણી શ્રવણુ કરતાં પછાડે તેવા સુભટને માકલુ. એમ નિશ્ચય કરી કૃપણુ નામના છઠ્ઠા કાઢિયાને રવાના કર્યાં તે તુરત જ ત્યાં જઈને ભવ્ય જીવના શરીરમાં પેઠા પછી શી હકીકત ખની તે જરા વિચાર કરીને જુએ. આ અવસરે વ્યાખ્યાનમાં ગુરુ મહારાજે સાત ક્ષેત્રની પ્રરૂપણા કરી અને ઉત્તમ ક્ષેત્રમાં ધન વાપરવાનું ઘણું જ શ્રેષ્ઠ ફળ ખતાવ્યુ. ઉત્તમ ક્ષેત્રાનાં નામ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy