SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૬) અને ગીશ્વરને આશ્રય કરવા એગ્ય તથા ભવ્ય પ્રાણીઓને સ્મરણ કરવા ગ્ય સિદ્ધ પરમાત્માઓનું મને શરણ છે. વળી જગતના છને આનંદ પમા ડનારા અને ગુણના સમૂહથી ભરેલા, નાશ કર્યો છે ભવરૂપ કંદ જેઓએ અને કેવલજ્ઞાનના પ્રકાશ વડે ચંદ્ર તથા સૂર્યના પ્રકાશને અપ કરતા રાગ દ્વેષ આદિને ઉછેદ કરતા એવા સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ પ્રાપ્ત કર્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમણે તથા મોક્ષરૂ૫ દુર્લભ લાભ મેળવ્યો છે જેમણે તથા મૂક્યા છે અનેક પ્રકારના સમારંભ જેમણે અને વળી ત્રણ ભુવનરૂપ ઘરને ધારણ કરવામાં થંભ સમાન અને આરંભ રહિત એવા સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ. ત્રીજું સાધુમુનિરાજનું શરણુ जिअलोअबंधुणो कुगइ सिंधुणो पारगामहाभागा। नागाइएहिं सिवसुखसाहगा साहुणो सरणं ॥ સમગ્ર જીવલોકના બંધુ અને કુગતિરૂપ સમુદ્રના પાર પામનાર મહાભાગ્યવાળા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે મોક્ષસુખના સાધનાર એવા મુનિરાજે શરણભૂત છે. केवलिगो परमोही, विउलमइ सुयहरा जिणममि । आयरिय उवज्झाया, ते सव्वे साहुणो सरणं ॥ કેવળજ્ઞાનીઓ તથા પરમાવધિજ્ઞાનવાળા તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળા તથા શ્રતજ્ઞાનને ધારણ કરનારા તથા જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુએ મને શરણભૂત થાઓ.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy