SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૭) ૩ નિવિતિગિચ્છા કહેતાં સાધુસાધ્વીની નિંદા ન કરવી તથા ધર્મના મૂળમાં સંદેહ નહિ કરે. ૪ અમૂઢદિઠુિં કહેતાં અન્ય મતના ચમત્કાર તથા મંત્ર દેખી મૂઢદષ્ટિપણું નહિ કરવું. ૫ ઉપખંહણ કહેતાં સમકિતદષ્ટિ ની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી–પ્રશંસા કરવી. ૬ સ્થિરીકરણ કહેતાં સીદાતા સ્વામી ભાઈઓને હર કઈ રીતે ટેકે આપી ધર્મમાં સ્થિર કરવા. ૭ સાધમી બંધુઓનું ભાવ સહિત ભક્તિપૂર્વક વાત્સલ્ય ક૨વું. ૮ પવિત્ર જિનશાસનની ઉન્નતિ થાય-જાહેરજલાલી વધે તેવાં કાર્યો કરવાં. આ આઠ દર્શનના આચારમાં મેં જે કાંઈ વિપરીતપણે કર્યું હોય, છતી શક્તિએ કરવા લાયક કાર્ય ન કર્યું હોય તેને આત્મસાક્ષીએ ખમાવું છું. - ૩ ચારિત્રાચાર जं पंचहिं समिईहिं तीहिं गुत्तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामिदुक्कडं तस्स ॥ પંચ સમિતિ અને ત્રણ ગુતિ સહિત નિર્મળ ચારિત્ર મેં ન પાળ્યું હોય તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ ૪ તપાચાર છતી શક્તિએ અવશ્ય તપશ્ચર્યા કરવી જોઈએ તે તપાચાર કહેવાય. શક્તિ હોવા છતાં તપશ્ચર્યા ન કરી હોય તે મિચ્છામિ દુક્કડં.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy