SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) કૃત્વરૂપી ધનને સાચવવા માટે કચાસ રાખે નહિ, તે જ તે ટકી શકે. સમ્યફવરત્નને સાચવવા માટે સારા ગુણીજનના સમગમમાં રહેવું. અગ્ય અને ધર્મથી હીન મિથ્યાષ્ટિને બહુ પરિચય કરે નહિ. તેવા પરિચયથી પતિત થયેલાનાં ઘણાં દષ્ટાંતે શાસ્ત્રમાં છે. વળી જેમાં હિંસાવૃત્તિ દાખલ કરી હેય-કામવિકારને વચ્ચે હોય તેવાં પુસ્તકે પણ વાંચવાં નહિ, તેવાં પુસ્તકે વાંચવાથી આત્માની વેશ્યાનું જલદી પરાવર્તન થવા સંભાવના રહે છે. પ્રતિકૂળ સંગોથી ભદ્રિક પરિણામી છનું સમ્યક્ત્વથી જલદી અધઃપતન થાય છે. મિથ્યાષ્ટિના બહુ પરિચયથી સમ્યકૂવથી પડી જવાને સંભવ રહે છે. તત્વાર્થસૂત્રમાં શંકા, કંખા, વિતિગિચ્છા, અન્યદષ્ટિપ્રશંસા ને તેમને સંસ્તવ આ પાંચ સમ્યક્ત્વના અતિચાર કહ્યા છે. શંકા કહેતાં જિનવચનમાં શંકા કરવી. ૧, કંખા કહેતાં અન્ય દર્શનને સ્વીકારવાની વાંચ્છા કરવી. ૨, વિતિ• ગિચ્છા કહેતાં ધર્મના ફળમાં સંદેહ કરે, જેમકે હું આ શુભકિયા કરું છું, પરંતુ તેનું ફળ થશે કે નહિ? ૩, અન્યદષ્ટિ પ્રશંસા કહેતાં બીજા દર્શનવાળાને મહિમા જોઈને પ્રશંસા કરવી કે જેના દર્શન કરતાં આ દર્શનમાં બહુ મહિમા જણાય છે. ૪, સંસ્તવ કહેતાં અન્યષ્ટિવાળાનો પરિચય કરે તે. ૫, પરિચય કરવાથી લાંબા કાળે સમ્યકત્વથી આત્મા પતિત થાય છે. ઉપાધ્યાયજી મહારાજ યશોવિજયજી સમ્યકત્વની સક્ઝાયમાં કહે છે, કે “હીણાતણે જે સંગ ન
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy