SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) તે ગંડી કેવા પ્રકારની છે ? અત્યંત દુખે કરી ભેદવા યોગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ, કઈ ખરીરાદિ કઠિન લાકડાની ગાંઠ જેવી રીતે ભેદી શકાય નહિ તેવી કઠિન. તે ઉપમાવાળી એ અનાદિકાળની જીવને કર્મજનિત ઘન કહેતાં નિવિડ રાગદ્વેષપરિણતિરૂ૫ ગ્રંથિ છે; તે વજની માફક દુધ સમજવી. જ્યાં ગંઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ હેચ, ગ્રંથિભેદ થયા પછી બીજું અપૂર્વકરણ હેય તથા સમ્યકત્વ પુરખડે કહેતાં સમ્યકત્વ પ્રાપ્તવ્યપણે આગળ કર્યું છે જે જીએ, એટલે ચક્કસ મુખ આગળ રહ્યું છે તે જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હેય. આ કરણમાં વિશુદ્ધ અધ્યવસાય વડે કરી ઉદયમાં આવેલ મિથ્યાત્વને વેદો, ઉદયમાં આવે નહિ તેને ઉપશમાવતે ઉપશમ લક્ષણ અંતમુહૂર્ત કાળમાનવાળા અંતરકરણમાં પ્રવેશ કરે; અંતરકરણના પહેલા સમયે જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. અંતરકરણને કાળ અંતમુહૂર્તને છે; તેથી ઉપશમ સમ્યક્ત્વ અંતમુહૂર્ત કાળપ્રમાણ સમજવું. ઉપશમ સમ્યકૃત્વમાં રહેવા છતાં જીવ સત્તામાં રહેલ મિથ્યાત્વના ત્રણ પુંજ કરે. જેવી રીતે મદન કેવા ધાન્યવિશેષ છે તેને ઔષધિવિશેષ વડે કરી શોધાય છે, તે શોધતાં કેટલાક શુદ્ધ થાય, કેટલાક અર્ધા શુદ્ધ થાય,કેટલાક અશુદ્ધ જ રહે છે, એવી રીતે જીવ પણ પરિણામ વિશેષથી મિથ્યાત્વને શોધે છે. તે શોધવાથી કેટલાંક દળ શુદ્ધ થાય, કેટલાંક અશુદ્ધ થાય અને કેટલાંક અશુદ્ધ રહે એમ ત્રણે પ્રકારે થાય છે. તે ઉપશમ સમ્યક્ત્વને અંતમુહૂર્ત કાળ પૂરો
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy