SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧પ૭) રાણીઓ હતી. તે સર્વે ઉદાર અને પુણ્યકાર્યમાં અત્યંત આદરવાની હતી. તે સર્વેની મધ્યે કુંતલદેવી નામની પટરાણું માત્ર બહારથી જ શોભતી હતીઃ બીજી રાણીઓ નિષ્કપટપણે ધર્મકાર્યમાં તત્પર હતી તેથી તેઓ તત્ત્વથી શોભતી હતી. સર્વે રાણીઓને રાજાની કૃપાથી ઘણી ઘણી સંપદાઓ પ્રાપ્ત થયેલી હતી, તેનાથી તેઓએ અદૂભુત ચ કરાવ્યાં. તે ચૈત્યમાં તેઓએ સુવર્ણાદિકની સુંદર જિનપ્રતિમાઓ સ્થાપન કરાવી. ઉત્તમ જીવોના ભાવ નિરંતર પુણ્યકાર્યમાં વૃદ્ધિ પામતા જ હોય છે. તે ચૈત્યમાં તે નિરંતર સ્નાત્રાદિક મોટા ઉત્સવ કરવા લાગી, કારણ કે તેમાં મોટી પૂજા કરવામાં આવે તે પિતાને અને અન્યને બેલિબીજનું કારણ છે. તે સર્વે રાણુઓ ઉપર વક હૃદયવાળી કુંતલદેવી ઈર્ષ્યા કરતી હતી તેથી તેણીએ સુવર્ણનું મોટું ઊંચું ચિત્ય કરાવ્યું. તેમાં પૂજાદિક સમગ્ર કાર્ય વિશેષ કરીને કરવા લાગી. કારણ કે ઈર્ષાળુ જીવે પોતાના ઉત્કર્ષ માટે અને પરના અપકર્ષ માટે પ્રયત્ન કર્યા કરે છે. બીજી સર્વે રાણીઓ સરળ હતી. તેઓ ભક્તિથી જે જે ઉત્સ કરતી હતી, તે તે ઉત્સવે કુંતલદેવી ઈર્ષોથી બમણા બમણુ કરતી હતી. તે પણ બીજી રાણીઓ તે કુંતલદેવીની પ્રશંસા જ કરતી હતી કે ( અહો ! ) આ - કુંતલદેવીની સંપત્તિ કેને વખાણવા લાયક નથી? કે જે આ પ્રમાણે જિનેશ્વરની અદભૂત ભક્તિ કરે છે! આ પ્રમાણે કહી તમામ રાણીઓ કુંતલદેવીની પ્રશંસા કરતી હતી. પરંતુ કુંતલદેવીને તે મત્સર (ઈ) તેણીના મેટા પુણ્યને નાશ કરનાર થયે; કારણ કે વિષ તે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy