SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯) થતું નથી. શાસ્ત્રમાં પણ જ્ઞાનક્રિયા વડે કરીને જ માણ કહેલ છે. આ હેતુ માટે જાણપણું કરી શુભકાર્યમાં પ્રવૃત્તિ કરવી, તે જ મોક્ષનું કારણ છે. બાકી હે ચેતન ! દિવસને રાત્રિ જ જાય છે, આયુ કાપે છે. મસ્તક પર ધેળા વાળ આવ્યા, મૃત્યુએ આગળથી દૂત મેકલી ખબર આપી કે તું ચેત કે ન ચેત, જ્ઞાનક્રિયાવડે મેક્ષસુખ મેળવવા પ્રવૃત્તિ કર કે ન કર, હું તે તાકીદથી આવું છું, તૈયાર થઈ રહેજે. બેટી આશાએ સંસારમાં પડી રહીશ નહિ. મધુબિંદુ જેવા સાંસારિક સુખમાં મુંઝાઈશ નહિ. નીચે લખેલી ગાથાનું મનન કરજે ? નગારાં વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિત થઈને સુતે રે; મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુતો રે. બલિહારી જાઉં એ વૈરાગ્યની. આ ગાથાથી નિશ્ચિત કરી લેજે કે મૃત્યુનાં નગારાં વાગી રહ્યાં છે, હવે આત્મશ્રેય કરવામાં જેટલો વિલંબ કરીશ તેટલું ગુમાવી બેસીશ. તું એમ ધારીશ નહિ કે, હજી મને ધળા વાળ નથી આવ્યા. હજી હું તે નાની ઉંમરને છું. હજી આપણે ઘણીવાર છે. સોપકમ આયુવાળાને તે વાળ ધોળા હાય કે કાળા હેય તે જોવાનું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સેપકમ આયુવાળાનું સાત પ્રકારે આયુ લૂટે છે. જુઓ ઉપદેશ રત્નાકરમાં શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બતાવેલ છે - આવેલા નિમિત્તે, બારે વેગળા રાધા ! फासे आणपाणु", सत्तविहं जिज्ज्ञए आउं ॥१॥ ૧. અધ્યવસાય-રાગ ભયને નેહ-આ ત્રણ પ્રકારે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy