SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પામ તે પ્રમદભાવના અને બીજાઓના દેની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવના કહેવાય? મિત્રી ભાવનાનું વિશેષ સ્વરૂપ माकार्षित्कोपि पापानि, मा च भूत्कोपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ કેઈપણ પ્રાણી પાપ કરે નહીં, કેઈપણ જીવ દુઃખી થાઓ નહીં, આ જગત કર્મથી મુકાઓ. આવી બુદ્ધિને મૈત્રી ભાવના કહેવાય છે. આ ભાવનાનું સ્વરૂપ ખૂબ દીર્ઘદૃષ્ટિથી વિચારવા લાયક છે. પ્રથમ જે બાર ભાવના બતાવી તે સંસારનું સ્વરૂપે પ્રગટ કરે છે. ત્યારે મૈયાદિ ચાર ભાવના બીજા જીવ પ્રત્યે કેવા પ્રકારનું વર્તન રાખવું તેને ખ્યાલ આપે છે. આ જમાનાની વિચિત્રતાને લઈ ચારે ભાવનાઓ નાશ પામતી જાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મૈત્રી ભાવનાનું સ્વરૂપ બતાવતા કહે છે, કે કોઈ જીવ પાપ કરે નહીં એવી ભાવના થાય ત્યારે બીજાં પ્રાણીઓ પાપનાં કારણો ન મેળવે એ પણ ભેગું આવી જાય છે, જેવી રીતે સર્વ જી પિતાના સુખની દરકાર રાખે છે. પરંતુ બીજા જીવનું શું થતું હશે તે જોવાને કે જાણવાને માટે ઊભા પણ રહેતા નથી. જગતના છ ઉપર મિત્રીભાવ કરનાર સર્વને સુખી જોવામાં રાજી થાય છે. અને પિતે કઈ જીવને કઈ પ્રકારનું દુઃખ આપતું નથી. આ જગત કર્મ થી મુક્ત થાઓ. આવી બુદ્ધિ પણ તે જ મનેરાજ્યમાંથી નીકળે છે. પારકાનાં હિતનું ચિંતવન કરવું તે ભાવ કરનાર, ઈ પ્રકાર છે અદ્ધિ પણ કરવું તે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy