SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું દુઃખ હોય! બળતા હૃદયે નિંદા એટલે શું? દુષ્કૃતનાં આચરણમાં જે ભયંકર નુકશાની છે તેવી બીજી કઈ નુકશાની નથી! દુનિયામાં ગમે તેવી નુકશાની પણ માત્ર અહીં નડે છે, ત્યારે દુષ્કાની નુકસાની અહીં ય મન બગાડી નડે છે, ને ભવાંતરમાં તે એથી ઘેર પાપનો ઉદય દ્વારા ઘર ત્રાસ, દુઃખ અને રીબામણ દે છે! ઉપરથી નવાં દુષ્કાની જ લત ! આ આવે છે માટે દુષ્કૃત્યેની આત્મસાક્ષીએ તીવ્ર નિંદા, સ્વાત્માની ભાવી દુષ્કૃતનાં બીજ તેડનારી ભારે દુર્ગછા કરવી જોઈએ. (૩) સર્વ જીવોને ક્ષમાપના :– જગતને સમસ્ત જીની ક્ષમા માગી લેવી. આ ચીજો ખૂબ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. કેમકે અવર નવર દુનિયામાં નવું નવું સંભળાયા જ કરે છે! મેટર અથડાઈ ગઈ! વરસાદની હેલી થઈ! પૂર આવ્યું ! ટ્રેન અકસ્માત્ ! નથી ને આપણે એવા વિકટ સંગમાં મૂકાઈ ગયા તે અણસણ, ક્ષમાપના ગહ વગેરે આરાધનાના પ્રકારેથી જીવન પલટા સંબંધમાં નિશ્ચિત રહી શકીયે ! એજ અકસ્માતમાં ફસાયેલા બીજા રોકળમાં દુર્ગતિ લાવે. ને આપણે આરાધનામાં મસ્ત રહીને સુગતિ પામી શકીએ! મૃત્યુ તે એક સરખું, પણ એક અંતરની વૃત્તિને ફેર. એટલે એક જીવ નરકમાં કે તિર્યંચગતિમાં ત્યારે બીજે દેવલોકમાં ! ક્ષમા-ક્ષમાપનાથી જીવ પિતાના વૈરાનું બધે તેડી વિશ્વમેત્રીમાં આરૂઢ થાય છે.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy